બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં વીજ કરંટ લાગતા 2ના મોત, ખેતરમાં ઝટકા મશીન બન્યું મોતનું મશીન!
Last Updated: 06:10 PM, 2 February 2026
Banaskantha News: બનાસકાંઠાના તાલેગંજ ગામે વીજ કરંટ લાગતા 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. ખેતરમાં ઝાટકા મશીનમાંથી વીજ કરંટ લાગતા 2 ભાઈઓના મોત થયા છે. એક ભાઇને કરંટ લાગતા બીજો ભાઇ બચાવવા માટે દોડી આવ્યો હતો તેને પણ કરંટ લાગ્યો હતો.
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેગંજ ગામે મોહનભાઈ દેસાઈને ખેતરમાં કામ દરમિયાન કરંટ લાગ્યો હતો. જેથી મોહનભાઈને બચાવવા દોડી આવેલા કાના દેસાઈને પણ કરંટ લાગ્યો હતો. બન્ને સગા ભાઈઓને સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઝટકા મશીનનો કરંટ લાગતા બે સગા રબારી ભાઈઓના કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારના બે દીકરાઓના મોતના સમાચાર મળતા જ આખા ગામમાં શોક છવાયો હતો. એક સાથે બે સગા ભાઈની અર્થી ઉઠતા ગામમાં ગમગીની છવાઇ છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગાંધીનગર / સરપંચો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં જ થશે આ કામ
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પાકના રક્ષણ માટે ખેતરમાં ઝાટકા મશીન લગાવેલું હતું. પરંતુ આ ખેડૂતો માટે જીવલેણ બન્યુ હતું. અકસ્માત બાદ ગામમાં ભય અને શોકનો માહોલ છવાયો છે. બનાસકાંઠામાં ખેતરમાં પશુઓ અને ભૂડના ત્રાસતી રક્ષણ માટે ખેડૂતો ઝાટકા મશીન લગાવતા હોય છે પરંતુ આને લીધે કરંટ લાગવાના અનેક બનાવો અગાઉ પણ સામે આવી ચુક્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.