બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Governor Acharya Devvrat Statement on Fake Farmers in Natural Farming Programme
Vishnu
Last Updated: 07:41 PM, 6 September 2022
ગઈકાલે શિક્ષણ દિન નિમિત્તે સુરેન્દ્રનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યપાલે સામે બેઠેલી મહિલાઓને અચાનક જ સવાલ પૂછ્યો હતો. ખેડૂતો સાથેની ગોષ્ઠિમાં રાજ્યપાલે પૂછ્યું કે "સામે બેઠેલામાંથી ખેતી કેટલા લોકો કરે છે?"ઘણી આંગળીઓ ઊંચી હતા રાજ્યપાલ ખુશ થયા હતા અને અગાઉના કાર્યક્રમની ઘટનાઓને યાદ કરતાં કહ્યું હતું કે અધિકારીઓ મારી સામે નકલી ખેડૂતોને બેસાડી દે છે. કેટલાક ખેતીના કાર્યક્રમમાં તો સખીમંડળની બહેનોને બેસાડી દે છે. માટે આજના સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં રાજ્યપાલે ખરાઈ કરી કે વાસ્તવમાં સામે ખેડૂતો બેઠા છે કે નકલી(અન્ય) કોઈને અધિકારીઑએ બેસાડ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શું કહ્યું?
જે લોકો ખેતી કરે છે તે લોકો હાથ અધ્ધર કરે, વાહ! આભાર તમારા માટે હું તાળીઓ પાડુ છું.. આનાથી એ સાબિત થાય છે કે આજના આ કાર્યક્રમમાં વહીવટી તંત્રએ નકલી ખેડૂતો ભેગા નથી કર્યા. બધા સાચા ખેડૂતો બેસાડ્યા છે. મારી સાથે ગરબડ થઇ જાય છે કેટલીક જગ્યાએ. કેટલાક લોકો હોશિયારી વાપરી સખી મંડળની બહેનોને બેસાડી દેતા હોય છે મારા કાર્યક્રમમાં અને કેટલાક ખેડૂતો પણ નકલી બેસાડી દેવામાં આવે છે. ત્યારે આજે હું ખૂબ જ ખુશ છું કે આટલી ભીષણ ગરમીમાં પણ મોટી સંખ્યામાં બધા ખેડૂતો મારી સામે બેઠા છે. હવે બીજો પ્રશ્ન. તમારે જરાય ગભરાવાનું નથી સાચું બોલવાનું છે. અહીં કોઇ સજાની વ્યવસ્થા નથી સંવાદ કરવાનો છે અને સમસ્યાનું નિરાકરણ લાવવાનું છે.
.. પણ કાર્યક્રમમાં મોટાભાગની બહેનો ખેતી સાથે જોડાયેલી હતી
સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં મોટાભાગની બહેનો ખેતી કરતી હતી તે આવી હતી. જિલ્લાના તમામ અધિકારીઓ, ખેતીવાડી અધિકારીઓ સામે રાજ્યપાલે ખરાઈ કરતા હવે આગળના રાજ્યપાલના કાર્યક્રમમાં અધિકારીઑને ખેડૂત જ આવે તે માટે આદેશ થશે તો નવાઈ નહીં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime