બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આજે દેશમાં આર્થિક વિકાસને વધુ પ્રબળ બનાવવા માટે જાહેર કરવામાં આવેલા પેકેજમાં ખેડૂતો માટે પણ દિવાળીની ભેટ સમાન એક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આર્થિક રાહત પેકેજની જાહેરાત કરતા નાણાંપ્રધાને કહ્યુ કે, ખેડૂતો માટે 65000 કરોડ રૂપિયાની ખાતર સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી એ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરેલ આત્મનિર્ભર ભારત પેકેજનો હિસ્સો છે.

ADVERTISEMENT
સરકારે આત્મનિર્ભર ભારત 3.0માં પણ કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું ધ્યાન રાખ્યુ
નાણાંમંત્રીએ વઘુમાં જણાવ્યું હતુ કે, ખેડૂતોને ખાતરની પુરતી ઉપલબ્ધતાની ખાતર આપવા માટે 65000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. તેનાથી આગામી પાક સીઝનમાં ખેડૂતોને ઘણી મદદ મળશે. સરકારે આત્મનિર્ભર ભારત 3.0માં પણ કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોનું ધ્યાન રાખ્યુ છે.
ADVERTISEMENT

ખાતર સબસિડીની જાહેરાતથી 14 કરોડ ખેડૂતોને ફાયદો
ADVERTISEMENT
નાણાંકીય વર્ષ 2019-20ની સરખામણીએ ખાતરના ઉપયોગમાં 17.8 ટકાની વૃદ્ધિ થવાની અપેક્ષા છે. નાણાંકીય વર્ષ 2016-17 દરમિયાન ખાતરની વપરાશ 499 લાખ ટન નોંધાઇ હતી. વર્ષ 2019-20માં ખાતરનો વપરાશ 571 લાખ ટન થયો છે. નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશમાં કૃષિ ક્ષેત્રે ખાતરનો વપરાશ વધીને 673 લાખ ટન થવાની અપેક્ષા વ્યક્ત કરાઇ છે. તેમણે કહ્યુ કે, ખાતર સબસિડીની જાહેરાતથી 14 કરોડ ખેડૂતોને ફાયદો થશે.

સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.