ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહુડી જતા દર્શનાર્થી માટે મહત્વના સમાચાર આવ્યા છે.
મહુડીનું મંદિર રહેશે બંધ
વધતું કોરોનાનું સંક્રમણ જવાબદાર
31 માર્ચ સુધી મહુડીનું મંદિર બંધ રહેશે
મહુડી જૈન તીર્થમાં ભક્તો માટે દર્શન ચાલુ છે. મહુડી જૈન તીર્થના ટ્રસ્ટીનું નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મહુડી જૈન તીર્થમાં દર્શન ચાલુ છે. લોકોએ અફવાઓથી સાવધ રહેવુ
મહુડી તીર્થમાં સવારના 7થી સાંજના 7 સુધી દર્શન કરી શકાશે. દર્શન દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું પાલન જરૂરી છે.
શું હતી અફવા>
આજથી પ્રખ્યાત મહુડી મંદિર બંધ રહેશે. 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધી રહેલા કોરોના સંક્રમણને લઇ નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓને ઘરે રહેવા મંદિર ટ્રસ્ટની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
છેલ્લા 24 કલાકમાં 1565 નવા દર્દી જ્યારે 969 દર્દીઓ સાજા થયાં છે. જ્યારે 6 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાનો હાહાકાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. સુરત શહેરમાં 381 કેસ અને ગ્રામ્યમાં 103 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 401 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 121 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે. ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત...