બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gandhinagar aashka hospital Family allege patient's death due to doctor's negligence

લોલમલોલ / ગાંધીનગરની આસ્કા હોસ્પિટલ ફરી વિવાદમાં: તબીબની બેદરકારીથી દર્દીનું મોત! પરિવારજનોનો ગંભીર આક્ષેપ

Dhruv

Last Updated: 09:12 AM, 18 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરની આસ્કા હોસ્પિટલમાં દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવી હોબાળો મચાવ્યો.

  • આસ્કા હોસ્પિટલમાં દર્દીનું મોત થતા દર્દીના પરિવારનો હોબાળો
  • હોસ્પિટલના ડોક્ટર્સની ભૂલના કારણે મોત થયું હોવાનો આક્ષેપ
  • મોતનુ કારણ પણ ન જણાવતા હોવાનો પરિવારજનોનો આરોપ

ગાંધીનગરની આસ્કા હોસ્પિટલમાં દર્દીના મોતને લઇ દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો. સુરેન્દ્રસિંહ ચૌહાણ નામના દર્દીનું મોત થતા તેના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, હોસ્પિટલના ડોક્ટર્સની ભૂલના કારણે સુરેન્દ્રસિંહનું મોત થયું છે. અત્રે જણાવી દઇએ કે, પથરીના લેસર ઓપરેશન માટે દર્દીને આસ્કા હોસ્પિટલ લઇ જવાયા હતાં. જેમાં ડૉક્ટરે લેપ્રોસ્કોપીનું ઓપરેશન જાતે જ કરવાનો નિર્ણય લીધો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે.

લેઝર સર્જરીની જગ્યાએ લેપ્રોસ્કોપીનું ઓપરેશન કર્યાનો આક્ષેપ

દર્દીના પરિવારજનોનો લેઝર સર્જરીની જગ્યાએ લેપ્રોસ્કોપીનું ઓપરેશન કર્યાનો આક્ષેપ છે. એવામાં આ ઓપરેશન દરમિયાન દર્દીનું મોત થયું હતું. ત્યારે પરિવારજન કહી રહ્યાં છે કે, હોસ્પિટલે દર્દીના મોતનું કારણ ન જણાવ્યું. આમ, આ રીતે અચાનક દર્દીના મોતના કારણે પરિવારજનોનું હૈયાફાટ રૂદન જોવા મળી રહ્યું છે. જો કે, આ રીતે દર્દીનું મોત થતા તેના પરિવારજનોએ હોસ્પિટલ પર ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે, આ ઘટનાની જાણ થતા પોલીસ પણ હોસ્પિટલે પહોંચી ગઇ હતી. તમને જણાવી દઇએ કે, અગાઉ પણ આસ્કા હોસ્પિટલ વિવાદોમાં આવી ચૂકી છે.

પોલીસ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે

જો કે, અહીં સવાલ એ ઉભો થાય છે કે, આખરે જો દર્દીને લેઝર સર્જરી કરવાની હતી તો પછી લેપ્રોસ્કોપીનું ઓપરેશન શા માટે કરવામાં આવ્યું? એમાંય પરિવારજનોના આક્ષેપ મુજબ ડૉક્ટરે લેપ્રોસ્કોપીનું ઓપરેશન જાતે કરવાનો નિર્ણય કેમ લીધો? આખરે શું છે ઘટનામાં હકીકત તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલમાં પોલીસ આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે. દર્દીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર હોબાળો મચાવતા પોલીસે ઘટનાસ્થળે જઇને મામલો શાંત પાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ