બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ગંભીરા બ્રિજ પર અનેક રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય, ઉંઘતા રહ્યા અધિકારીઓ

ખુલાસો / ગંભીરા બ્રિજ પર અનેક રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય, ઉંઘતા રહ્યા અધિકારીઓ

Nidhi Panchal

Last Updated: 03:02 PM, 9 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડતાં મોટી જાનહાની સર્જાઈ છે. ચેતવણી અને રજૂઆતો છતાં તંત્રની બેદરકારી હવે ઘાતક સાબિત થઈ છે.

હાલ અત્યારે જ્યારે મહીસાગર નદી પર આવેલો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. આણંદ જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર નજીક આવેલા આ બ્રિજ તૂટી પડતા અનેક લોકોના જીવ ગયાં અને અનેક ઘાયલ થયાં છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બ્રિજ વિશે અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી. VTV News પાસે પણ 29 જૂન 2025ના રોજના દ્રશ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત હતી.

gambhir-bridge

અહેવાલો અને સ્થાનિક લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી કે બ્રિજ ખૂબ ખતરનાક છે અને તાત્કાલિક તેનું સમારકામ કે બંધ કરવાની જરૂર છે. છતાં, તંત્રના અધિકારીઓ ઉંઘતા રહ્યા હતા. ચેતવણી મળ્યા પછી પણ કોઈ પગલાં ન લેવાતા આખરે 9 જુલાઈના રોજ આ ભયાનક દુર્ઘટના બની ગઈ, જેમાં 6થી વધુ લોકોના જીવ ગુમાવ્યા છે.

પ્રશ્નો અનેક...

હવે પ્રશ્ન ઊભો થાય છે કે જ્યારે પત્રકારો દ્વારા અહેવાલો પ્રસારિત થયા હતા અને સ્થાનિક લોકોએ તંત્રના દરવાજા ખખડાવ્યા હતા ત્યારે તાત્કાલિક પગલાં કેમ ન લેવાયા? શું એ સમયે બ્રિજ બંધ કરવો તંત્ર માટે અશક્ય હતું? આ દુર્ઘટનાને કારણે હવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આવા જૂના અને ખતરનાક સ્ટ્રક્ચર્સની સમયસર તપાસ ન થાય તો જનતાના જીવ સાથે ચેડા થાય છે.

app promo2

આ પણ વાંચો : ગંભીરા બ્રિજની ગોઝારી ઘટનાથી અનેક પરિવારના માળા વિખાયા, ઈજાગ્રસ્તોની અને મૃતકોની યાદી આવી સામે

ગંભીરા બ્રિજ તૂટી પડવાના પાછળ મુખ્ય જવાબદારી ત્યાંના અધિકારીઓની જ છે તેવી આક્ષેપ લગાવામાં આવી રહ્યા છે, જેમણે સમયસર પગલાં ન લઈને મોટી જાનહાની સર્જી છે. હવે જો તંત્રે આ ઘટનાથી શીખ ના લીધી તો આવનારા સમયમાં વધુ આવી દુર્ઘટનાઓ થવાની શક્યતા દેખાઇ રહી છે. આ બનાવે તંત્રના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગને મજબૂત બનાવી છે. જનતાનો વિશ્વાસ જળવાય રહે, એ માટે જરૂરી છે કે આવા મામલાઓમાં બેદરકાર વર્તન કરનારા અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવે. હવે આગળ આ મુદ્દે સરકાર શું પગલા લેશે તે તો આવનારો સમય જ બતાવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

goverment authorities gambhira bridge news
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ