ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'તમારા જેવા અધિકારીઓના પાપે...' કોંગ્રેસ નેતાએ બ્રિજની દુર્ઘટના મામલે નાયકાવાલાની ઝાટકણી કાઢી
Last Updated: 06:43 PM, 11 July 2025
ADVERTISEMENT
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ લોકોમાંઅધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે સસ્પેન્ડ કરેલા અધિકારીઓ સામે સ્થાનિક નેતાઓમાં પણ આક્રોશ છે. કોંગ્રેસ જીલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમારે સસ્પેન્ડેડ ઇજનેર નાયકાવાલાની જાહેરમાં ઝાટકણી કાઢી હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસ જીલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમાર નાયકાવાલાને કહે છે કે તમે જ બોલ્યા હતા ને કે બ્રિજ સારો છે.. શું તમે બ્રિજની હાલત જોઇ નહોતી.. ? શું તમે અહીંયા ગામડાના લોકોના મોતનો તમાશો જોવા આવો છો ?
ADVERTISEMENT
જ્યારે નાયકાવાલા તેને કહે છે કે આ રીતે વાત નહીં કરવાની ત્યારે હર્ષદસિંહ પરમાર તેને વળતો જવાબ આપતા કહે છે કે કેમ નહીં કરવાની..? લોકોનો જીવ ગયો છે .. તમને શું ખબર પડે.. આગળ તે કહે છે કે તમારા જેવા ભ્રષ્ટ અધિકારીઓના પાપેજ આવી જ ઘટનાઓ ઘટે છે.
આ પણ વાંચોઃ હાથે-પગે પાટાપીંડી સાથે ગુજરાતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, પોલીસ ટીંગાટોળી કરીને ઉઠાવી ગઇ
ADVERTISEMENT
મહત્વનું છે કે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ ઇજનેર નાયકાવાલાએ કહ્યું હતું કે બ્રિજની હાલત સારી હતી. જે બાદ તેઓ સો.મીડિયા અને પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ખુબજ ટ્રોલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ