બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:52 AM, 13 July 2026
1/6
ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ વચ્ચે અમદાવાદની જગન્નાથ રથયાત્રાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ અષાઢી બીજના દિવસે અમદાવાદ શહેરમાં હળવો વરસાદ અથવા વરસાદી છાંટા પડી શકે છે.આ સાથે તેમણે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. 22 જુલાઈ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે.
2/6
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. આ દિવસે અમદાવાદ શહેરમાં હળવો વરસાદ અથવા વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પણ અષાઢી બીજના દિવસે સામાન્ય વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે પરંપરાગત સંકેતોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે અષાઢી બીજના દિવસે જો વીજળી સર્પાકાર થાય અને સફેદ વીજળી જોવા મળે તો સારા વરસાદના સંકેત માનવામાં આવે છે. આ આધારે તેમણે ચોમાસાની ગતિવિધિ અંગે અનુમાન વ્યક્ત કર્યું છે.
3/6
અંબાલાલ પટેલના અનુમાન મુજબ 18 જુલાઈ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. બપોર બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે અને સ્થાનિક સ્તરે વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ બની શકે છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટા જોવા મળી શકે છે.
4/6
અંબાલાલ પટેલે જણાવ્યું કે 22 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.
5/6
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 23થી 25 જુલાઈ દરમિયાન મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. ચોમાસાની સિસ્ટમ મજબૂત બનશે તો વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનની સ્થિતિ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
6/6
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 27 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. આ સમયગાળામાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. તેમણે કચ્છ માટે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે કચ્છના નવા વર્ષ દરમિયાન વરસાદ પડી શકે છે. આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિ વધુ સક્રિય બનવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ