બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / former chief minister shankarsinh vaghela meet with another anti bjp leader
Malay
Last Updated: 10:43 AM, 12 July 2023
લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ફરી એકવાર નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા લાંબા સમય બાદ ફરી એકવાર એક્ટિવ થયેલા દેખાઈ રહ્યા છે. શંકરસિંહ વાઘેલા એકબાદ એક ભાજપ વિરોધી નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથેની મુલાકાત કર્યા બાદ તેઓ મુંબઈ ખાતે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને યુબીટી શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા. શંકરસિંહ વાઘેલાની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત બાદ ફરી રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. એક બાદ એક નેતાઓને મળવા જઈ રહેલા શંકરસિંહ વાઘેલા અંદરખાને કંઈક ખીચડી પકવતા હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી પહોંચ્યા હતા બાપુ
શંકરસિંહ વાઘેલા ગઈકાલે ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન સાંસદ સંજય રાઉત પણ ઉપસ્થિત રહ્યા હતા. શંકરસિંહ વાઘેલા અને ઉદ્ધવ ઠાકરેએ આ મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
ઉદ્ધવ ઠાકરેએ યોજી હતી પ્રેસ કેન્ફરન્સ
આ બેઠકને લઈને ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, બેઠકમાં કોઈ જ ચર્ચા થઈ નથી. બેઠક દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા. તે સમયના દિવસોને તેમણે યાદ કર્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ શંકરસિંહ વાઘેલાના બહાને ભાજપ પર નિશાન સાધ્યું હતું.
पक्षप्रमुख उद्धवसाहेब ठाकरे यांचा प्रसारमाध्यमांशी संवाद । मातोश्री - #LIVE https://t.co/NbqQbqrVXK
— ShivSena - शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) July 11, 2023
અખિલેશ યાદવ સાથે કરી હતી મુલાકાત
આપને જણાવી દઈએ કે, આ પહેલા પણ શંકરસિંહ અન્ય કેટલાય નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. થોડા દિવસ અગાઉ તેઓ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી. તો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે પણ શંકરસિંહ વાઘેલાએ મુલાકાત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime