કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર માઇ ભક્તોની ગેરહાજરીમાં જ માતાના મઢમાં નવરાત્રી યોજાશે. નવરાત્રી દરમિયાન મંદિરમાં ભક્તોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય માતાના મઢ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.
માતાના મઢમાં ભક્તો વગર નવરાત્રી
કોરોના સંક્રમણને ધ્યાને રાખીને નિર્ણય
નવરાત્રીમાં ભક્તોને નહીં મળે પ્રવેશ
નવરાત્રીમાં કચ્છમાં માતાના મઢ તરફ ભક્તોનો પ્રવાહ ચાલુ હોય છે, લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ માતાના મઢ દર્શન કરવા ઉમટી પડતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે દેશ સાથે કચ્છમાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ વધતા માતાના મઢ જાગીર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે દરમિયાન ઇતિહાસમાં પ્રથમ વખત આસો નવરાત્રીમાં માતાનામઢ આશાપુરા મંદિર તેમજ પરિસર માઈભક્તો, દર્શનાર્થીઓ માટે બંધ રાખવામાં આવશે.
માર્ગો ઉપર પદયાત્રીઓનો કેમ્પ યોજવા મનાઈ
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ દેવીમાં આશાપુરાના સ્થાનકે લાખોની સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને કે, વાહન દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા આવતા હોય છે. પરંતુ કોરોના કહેરના કારણે નવરાત્રિમાં માતાના મઢનું મંદિર બંધ રાખવામાં આવશે. કોરોનાના કારણે મંદિરમાં પ્રસાદી ક્ષેત્ર, અતિથીગ્રહ પણ બંધ રાખવામાં આવ્યા છે. તેમ જ માર્ગો ઉપર પદયાત્રીઓનો કેમ્પ યોજવા પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે.
કોઈ દર્શનાર્થીઓએ માતાના મઢ દર્શન માટે આવું નહીંઃ ટ્રસ્ટ
નવરાત્રીમાં દર્શનાર્થીઓ માતાના મઢ આવે તો સંક્રમણ વધવાની ભીતિ છે, ત્યારે નવરાત્રી દરમિયાન મંદિર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જાગી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને વિનંતીપૂર્વક અપીલ કરવામાં આવી છે કે કોઈ દર્શનાર્થીઓએ માતાના મઢ દર્શન માટે આવું નહીં તે ઉપરાંત માઈ ભક્તો માટે જાગૃતિ ટ્રસ્ટ દ્વારા અલગ ઓનલાઇન દર્શન પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
કુળદેવી માં આશાપુરા મંદિર ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રમાણે બંધ કરવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસથી માઈ ભક્તોમાં નિરાશા છે, પરંતુ કોરોના સંક્રમણના ફેલાય તે માટે જે રીતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તેને સૌ કચ્છી લોકો પણ આવકારી રહ્યા છે.