બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / બિઝનેસ / Fill the ITR before 31st july to take advantage of the old tax system it will be beneficial
Megha
Last Updated: 09:57 AM, 8 April 2024
નાણાકીય વર્ષ 2023-24 કે આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ જો જૂની ટેક્સ સિસ્ટમ અપનાવીને ITR ફાઈલ કરવા માગે છે તેમણે 31મી જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાનું રહેશે. જો તમે આમ કરવામાં નિષ્ફળ થશો તો તમને જૂની સિસ્ટમનો લાભ નહીં મળે અને આવકવેરાની ગણતરી નવી સિસ્ટમના આધારે કરવામાં આવશે.
આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન ભરવાનું 1 એપ્રિલ, 2024થી શરૂ થયું છે. જેમાં ITR ફાઈલ કરવાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ હેઠળ, ફક્ત તે જ કરદાતાઓ જેઓ દંડ ભર્યા વિના 31 જુલાઈ, 2024 ની સમયમર્યાદામાં આવકવેરા રિટર્ન ફાઇલ કરે છે, તેમને જૂની ટેક્સ સિસ્ટમનો લાભ આપવામાં આવશે. આ પછી નવા ટેક્સ રિજિમ ડિફોલ્ટ સિસ્ટમ અમલમાં આવશે.
નોંધનીય છે કે 31 જુલાઈની અંતિમ તારીખ પછી, કરદાતાઓને દંડ સાથે વિલંબિત ITR ફાઈલ કરવાની તક આપવામાં આવે છે. તેની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. જો કોઈ કરદાતા આ સમયગાળા દરમિયાન ITR ફાઇલ કરે છે, તો તેના પર નવી કર વ્યવસ્થા મુજબ આવકવેરો ચૂકવવાપાત્ર થશે. તેને જૂની સિસ્ટમમાં ઉપલબ્ધ કરમુક્તિ અને અન્ય કપાતનો લાભ નહીં મળે. તેનાથી બચવા માટે ટેક્સ નિષ્ણાતોએ 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરવાની સલાહ આપી છે.
વધુ વાંચો: તમારે બેંકનું કામ હોય તો વહેલું પતાવી દેજો, આવતા અઠવાડિયે માત્ર 3 દિવસ જ ખુલ્લી રહેશે બેંક
ટેક્સ સિસ્ટમની પસંદગી મહત્વપૂર્ણ છે
આવકવેરા કાયદા અનુસાર, નવી કર વ્યવસ્થા એ ડિફોલ્ટ સિસ્ટમ છે એટલે કે તે કરદાતા માટે પહેલેથી જ લાગુ છે. જો કોઈ પગારદાર કરદાતા જૂના કર વ્યવસ્થામાં સ્વિચ કરવા માંગે છે, તો તેણે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં તેના એમ્પ્લોયરને આ અંગે જાણ કરવી પડશે. જો તે આવું નહીં કરે, તો તે આપમેળે નવી કર વ્યવસ્થા હેઠળ આવશે અને તેના હેઠળ નિર્ધારિત આવકવેરા સ્લેબના આધારે તેના પગારમાંથી ટેક્સ કાપવામાં આવશે. આવકવેરા રિફંડનો દાવો કરવા માટે તેઓએ આગામી નાણાકીય વર્ષ સુધી રાહ જોવી પડશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime