200 વર્ષની ગુલામી બાદ ભારત આઝાદ તો થયો પણ તેને ચલાવવાં માટે એક બંધારણની જરુર હતી. ત્યારે બાબાસાહેબ આંબેડકરે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસમાં આ બંધારણ તૈયાર કર્યું હતું. જેને 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતમાં અમલમાં મુકાયું હતું. જે બંધારણને આપણે આપણો ધર્મ , ફરજ અને સન્માન માનીએ છીએ તે જ બંધારણને બાબાસાહેબ આંબેડકરે સળગાવવાની વાત કરી હતી. તેમણે આવી વાત કેમ કરી હતી?
બાબા સાહેબે કહ્યું આ બંધારણ સળગાવવામાં હું પહેલો હોઈશ
2 સપ્ટેમ્બર 1953ના રોજ રાજ્યસભમાં બાબા સાહેબે કહ્યું હતું
આંબેડકરે આ વાત કરવાની કેમ જરૂર પડી હતી
26 નવેમ્બરે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો
ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આજે CAA, NRC અને NPR જેવા મુદ્દા વિવાદમાં છે. વળી આજે આપણે 71માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યાં છીએ. ત્યારે બાબા સાહેબ આંબેડકરની તે સમયે કરેલી વાતને સમજવી ખૂબ જરુરી છે. ભારત સરકારે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો હતો. 26 નવેમ્બરે 1949માં તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રસપ્રદ વાત એ પણ છે કે આ દિવસે અશોક સ્તંભને રાષ્ટ્રીય પ્રતિક ચિન્હ તરીકે અપનાવવામાં આવ્યું હતું.
રાજ્યસભામાં બાબાસાહેબે આ ચર્ચામાં કરી હતી
જો કે 2 સપ્ટેમ્બર 1953નાં રોજ રાજ્યસભામાં દેશનાં રાજ્યપાલ કેવી રીતે વધારે સત્તાઓ આપી શકાય તે અંગે ચર્ચા થઈ રહી હતી, ત્યારે બાબાસાહેબે કહ્યું હતું કે, મારી રજૂઆત એ છે કે જો આપણા બંધારણમાં સુધારો કરવામાં આવે તો લોકશાહી અને બંધારણને કોઈ નુકશાન ન થવું જોઈ.
બાબા સાહેબે કહ્યું આ બંધારણ કોઈનાં માટે અનુકૂળ નથી
આ નાના સમુદાય અને નાના લોકો જેમને ડર છે કે બહુમતી તેમની સાથે ખોટું કરશે. જે બ્રિટિશ સંસદ કરે છે. સાહેબ મારા મિત્રો મને કહે છે કે મે બંધારણ બનાવ્યું છે. પણ હું એ કહેવા માટે તૈયાર છું કે હું આને બાળી નાંખનાર પહેલો વ્યક્તિ હોઈશ. મને નથી જોઈતું. આ કોઈના માટે અનુકૂળ નથી. પરંતુ જે કંઈ પણ હોય, જો આપણે આને આગળ વધારવું હોય તો તે ભૂલવું ન જોઈએ કે અહીં બહુમતી અને લઘુમતી એમ બન્ને છે. અને લઘુમતીને એમ અવગણી ન શકો. ‘ઓહ નો. તેમને સ્વીકારવા લોકશાહી માટે હાનિકારક છે. ’ હું કહું છું કે લઘુમતીઓને કોઈપણ જાતની નુકશાન પહોંચાડવું સૌથી મોટું નુકશાન હશે.
ન્યૂ યોર્કના આ પ્રોફેસરે પણ બાબા સાહેબની આ વાતનો ઉલ્લેખ કર્યો
બાબા સાહેબ આંબેડકરની આ નારાજગી વિશે ન્યૂ યોર્કની સ્ટેટ યુનિવર્સિટીનાં પરચેઝ કોલેજના અર્થશાસ્ત્રના સહાયક પ્રોફેસર શ્રુતિ રાજગોપાલાને 1950-78 દરમિયાનનાં ભારતનાં બંધારણનાં સુધારા માટે હિસ્ટોરીકલ, ઔતિહાસિક, વૈચારિક અને આર્થિક સંદર્ભ પર વાત કરતા સમયે આ સંદર્ભ ટાંક્યો હતો.
બંધારણ વિશેની રસપ્રદ વાતો
બંધારણમાં શરૂઆતમાં 395 અનુચ્છેદ, 8 અનુસૂચિ અને 22 ભાગ હતા. ત્યાર બાદ 104 સંશોધન થયા. 284 સભ્યની ટીમે ડો.બાબાસાહેબ આંબેડકરનાં નેતૃત્વમાં બંધારણ તૈયાર કર્યું. જેમાં 15 મહિલાઓ પણ સામેલ હતી. બંધારણની નકલ હાથેથી લખાયેલી હતી. ઉલ્લેખનીય છે કે બ્રિટીશ, ફ્રેંચ, યુએસએસઆર, જર્મની, જાપાન, યુએસએ જેવા દેશોના બંધારણમાંથી અમુક બાબતો લેવામાં આવી છે. આપણું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. બંધારણ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં લખાયું છે. જો કે એવું મનાય છે કે વાસ્તવિક બંધારણ પ્રેમ બિહારી નારાયણ રાયજાદાએ લખ્યું હતું. બંન્ને ઉપર સંસદ સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ સહી કરી હતી. 26 જાન્યુઆરી 1950માં તેને અમલમાં મુકવામાં આવ્યો હતો.