બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / Farmers of Gujarat will get huge benefits, know what PM Modi said on the occasion of inauguration of Saber Dairy
Hiralal
Last Updated: 03:23 PM, 28 July 2022
સાબર ડેરીના લોકાર્પણ પ્રસંગે પીએમ મોદીએ ખેડૂતો માટે એક મહત્વનું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં 10,000 ફાર્મર પ્રોડ્યુસર એસોસિએશનની (ખેડૂત ઉત્પાદક સંગઠનો) રચનાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે. આનાથી નાના ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ, વેલ્યુ લિંક્ડ એક્સપોર્ટ અને સપ્લાય ચેઈન સાથે જોડાઈ શકશે. મોદીએ કહ્યું કે આને કારણે ગુજરાતના ખેડૂતોને ઘણો લાભ થશે.
The work of formation of 10,000 Farmer Producer Associations (FPOs) is going on in full swing in the country. Through this, small farmers will be able to directly connect with the food processing, value linked export & supply chain. It will benefit the farmers of Gujarat: PM pic.twitter.com/MG0y1vMXU1
— ANI (@ANI) July 28, 2022
જાણો શું છે ખેડૂત ઉત્પાદક સંગઠનો
સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠનોની રચના કરવાની જાહેરાત કરી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનોના દરેક સભ્યને 2 હજારની રકમ આપવામાં આવશે. તે ઉપરાંત દરેક ખેડૂત ઉત્પાદક સંગઠનને 2 કરોડની લોન પણ મળશે.
Dairy sector a major contributor in growth of rural economy: PM Modi
— ANI Digital (@ani_digital) July 28, 2022
Read @ANI Story | https://t.co/3arU18v8mR
#PMModi #RuralEconomy pic.twitter.com/rinI5mZfOL
ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં ડેરી ક્ષેત્રનો મોટો ફાળો રહ્યો છે અને સાબર ડેરીમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સના લોકાર્પણ દ્વારા સરકાર ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને ટેકો આપવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરી શકશે. તેઓ ગુજરાતમાં સાબર ડેરી ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોના ઉદઘાટન બાદ સંબોધન કરી રહ્યા હતા.પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારે ખેડૂતોની આવક વધારવા માટે સમર્પિત રીતે કામ કર્યું છે. કૃષિથી પશુપાલન સુધી, અમે નાનામાં નાના ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોયો છે.
Today Sabar Dairy has expanded. New projects worth hundreds of crores are being set up here. Sabar Dairy's capacity will increase further with the addition of milk powder plant with modern technology and one more line in A-septic packing section: PM Modi in Sabarkantha pic.twitter.com/QStZYhLIeb
— ANI (@ANI) July 28, 2022
આજે દેશમાં 400 કરોડ લીટર ઈથેનોલનું મિશ્રણ
પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલા દેશમાં પેટ્રોલમાં 40 કરોડ લિટરથી પણ ઓછા ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવતું હતું આજે તે વધીને
400 કરોડ લીટર સુધી પહોંચી રહ્યું છે.
3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ
અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને મદદ કરવા અને કૃષિને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં, સરકારે છેલ્લા 2 વર્ષમાં એક વિશેષ અભિયાન ચલાવીને 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપ્યા છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આવું બોલ્યાં પીએમ મોદી
કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વાનની પહેલ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, "પ્લાસ્ટિક આપણા પશુઓ માટે દુશ્મન બની ગયું છે. અગાઉ પ્રાણીઓના પેટમાંથી 15-20 કિલો પ્લાસ્ટિક નીકળતું હતું, જ્યારે તેઓ મૃત્યુ પામતા હતા. આ એક કારણ છે કે અમે ભારતમાંથી પ્લાસ્ટિકના ઉપયોગને નાબૂદ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે, રેલવે લાઈન પહોળી કરવાની વાત હોય કે હાઈવેનો વિકાસ હોય, સરકારે સાબરકાંઠામાં કનેક્ટિવિટી માટે અસાધારણ માળખું ઊભું કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર આદિવાસીઓની સંસ્કૃતિ અને યોગદાનને મોખરે લાવવા અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉજવણી કરવા પર કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે સરકારે 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાનો પણ નિર્ણય કર્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime