બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers in trouble due to erosion in the mango orchards of Gir Somnath
Vishal Khamar
Last Updated: 01:00 PM, 14 April 2024
ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારનાં આંબા વાડિયાનાં દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે. તો સાથે આંબાનાં નીચેનાં ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે. આથી આંબાવાડીયાનાં ખેડૂત ચિંતામાં મુકાયા છે. ઇજારદારનેએ ચિંતા સતાવી રહી છે કે "ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે. તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે. તો બીજી તરફ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરી માર્કેટમાં 40 ટકા આવવાની સંભાવના
સાથો સાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુપણો ફૂટવા લાગ્યા છે. તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે કરી રહી છે. તો દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40 ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચોઃ રાજકોટની બેઠક બની રણમેદાન: ટિકિટ મળ્યા બાદ પરેશ ધાનાણી Exclusive
કેસર કેરીમાં ખરણને લઈ ખેડૂતો તેમજ ઈજારદારો મુશ્કેલીમાં
કેસરમાં ખરણને લઈ કેરી પકવતા ગીરનાં ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે .કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વર્ષે પ્રથમ તબક્કાનું અંદર ફ્લાવરિંગ આવ્યું છે. બાકીનું જે બીજો અને ત્રીજા તબક્કામાં નહિવત ફ્લાવરિંગ આવ્યું છે. તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તેની સાથે સાથ બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કૂપણો પાંદડાઓ આવી રહ્યા છે તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ના શકે આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર ઓછી આવશે જેને લઇ ને આ વર્ષે કેરી ના ભાવો આસમાને રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh