બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot Congress Lok Sabha candidate Paresh Dhanani reaction
Last Updated: 11:15 AM, 14 April 2024
ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકોટ લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ઉમેદવાર જાહેર થયા બાદ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટ માટે ઉમેદવાર બનાવ્યો તે બદલ મોવડી મંડળનો આભાર છે. તેમજ 2002 વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થશે. તમામ મોરચે લોકોની નારાજગી દૂર થશે. તેમજ ભાજપને જનતા જવાબ આપશે.
ADVERTISEMENT

આગામી પાંચ વર્ષ રાજકોટનાં પ્રશ્નોને વાંચા આપવાનોઃ પરેશ ધાનાણી
ADVERTISEMENT
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારનાં કોંગ્રેસી કાર્યકર્તા ઉપર સૌરાષ્ટ્રનાં પાટનગર સમાજ રાજકોટનાં રણ મેદાનમાં સેનાપતિ બનવા માટે કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. આ લડાઈ રાજકોટનાં સાંસદ બનવાની નથી. પરંતું આગામી પાંચ વર્ષ રાજકોટનાં જે પ્રશ્નો છે તેને વાચા આપવાની છે. રાજકોટ સામે જ પડકારો છે તે પડકારોને ઝીલવા માટેની છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટનાં રણ મેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે. જનજનનાં આર્શીવાદ મળશે.
.png)
ADVERTISEMENT
વધુ વાંચોઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત, સંઘમાં જતાં 3 યાત્રાળુને કચડી માર્યા, હાઈવે પર લોહીના રેલા
રાજકોટમાં હવે કડવા-લેઉવા પાટીદારનો જંગ જામશે
રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. તેમજ ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.