બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ
દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન
રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત
સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત
ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી
પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા
રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા
પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર
મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઈન્સ્ટાગ્રામે તેના એલ્ગોરિધમ સિસ્ટમમાં કર્યો મોટો બદલાવ, આ ભૂલો કરવાથી ઘટી જશે રીચ
Last Updated: 12:47 PM, 2 May 2024
તમે ક્યારેય વિચાર્યુ છે કે, તમે ઈન્સ્ટાગ્રામ પર સ્ક્રોલિંગ કરી રહ્યા હોવ છો ત્યારે તમારી ફીડમાં તમને ગમતી પોસ્ટો જ કેમ આવે છે? આની પાછળ એક જ વસ્તુ કામ કરે છે અને તે છે એલ્ગોરિધમ. હવે ઈન્સ્ટાગ્રામ તેના એલ્ગોરિધમ સિસ્ટમમાં બદલાવ કર્યો છે. તેના આ બદલાવથી ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટરને વધુ ફાયદો થશે.
ADVERTISEMENT
આ અંગે ઈન્સ્ટાગ્રામે એક બ્લોગ પોસ્ટમાં માહિતી આપી છે. જેમાં તેને એ પણ જણાવ્યુ છે કે, આ પરિવર્તનથી નાના કન્ટેન્ટ ક્રિએટરને ફાયદો થશે. આવો જાણીયે ઈન્સ્ટાગ્રામના તે પરિવર્તન વિશે
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ એવા એકાઉન્ટ રિકમેન્ડ નહીં કરે જેના પર વારંવાર બીજાની પોસ્ટ શેર કરાય છે. જો હવેથી 30 દિવસમાં બીજા દ્વારા બનાવેલો કન્ટેન્ટ 10થી વધુ વખત શેર કરવામાં આવશે તો તેને રિકમેન્ડ નહીં કરવામાં આવે. ડુપ્લિકેટ કન્ટેન્ટ શેર કર્યાના 30 દિવસ બાદ પહેલાથી રિકમેન્ડેશન પ્રોસેસ થશે.
જે લોકો બીજાની પોસ્ટો રીપોસ્ટ કરે છે તેમની રીચ પણ ઘટાડી દેવામાં આવશે. જેની પોસ્ટ શેર કરાઈ છે તે ઓરિજનલ એકાઉન્ટને જ રિકમેન્ડ કરાશે.જ્યાં સુધી નવો કન્ટેન્ટ નહીં પોસ્ટ થાય ત્યાં સુધી રિકમેન્ડેશનમાં બદલાવ નહીં કરાય.
ઈન્સ્ટાગ્રામ હવે ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટરને લેબલ આપવાનું વિચારી રહ્યુ છે. જે એકાઉન્ટ પર ઓરિજનલ કન્ટેન્ટ શેર થયો હશે તેને લેબલ મળશે. આ કન્ટેન્ટ શેર કરવા પર પણ તે લેબલ દેખાશે. જેથી ઓરીજનલ ક્રિએટરની ઓળખ થઈ શકશે.
કેટલાક લોકો લાઈક અને વ્યૂ મેળવવા માટે ઓર્ગેનાઈઝેશનના ફોટો શેર કરે છે. પરંતુ હવે આવા એકાઉન્ટ પર તવાઈ આવશે. તેઓ અલગ અલગ સોર્સથી ફોટા ભેગા કરી શેર કરે છે. તેઓને બે વખત ચેતવણી અપાશે. પછી તેમને રિકમેન્ડેશન ફીડમાંથી હટાવી દેવાશે.
જેમના ફોલોઅર્સ ઓછા છે તેમને આગળ આવવાનો મોકો અપાશે. પહેલા એ જોવામાં આવતુ કે એકાઉન્ટના ફોલોઅર્સ કેવા છે તે આધારે રિકમેન્ડેશન થતુ પરંતુ હવે નાના ક્રિએટરની પોસ્ટો પણ રિકમેન્ડેશન ફીડમાં દેખાશે. જેનો નાના કન્ટેન્ટ ક્રિએટરને ફાયદો થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT