બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

VTV / ગુજરાત / રાજકોટ / વિવાદ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ કરી લેઉઆ પાટીદાર તથા ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક, કરાઈ ચૂંટણીને લઈ મહત્ત્વની ચર્ચા

રાજકારણ / વિવાદ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ કરી લેઉઆ પાટીદાર તથા ક્ષત્રિય અગ્રણીઓ સાથે બેઠક, કરાઈ ચૂંટણીને લઈ મહત્ત્વની ચર્ચા

Last Updated: 09:59 AM, 2 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય અને લેઉવા પટેલ અગ્રણીઓ સાથે બેઠક કરી છે. તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે

રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં તમામ 26 બેઠક પર 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે ગુજરાતની સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરી છે. આ બેઠકમાં પરષોત્તમ રૂપાલાએ લેઉઆ પાટીદાર અને ક્ષત્રિય આગેવાનો સાથે ચર્ચા કરી. સાથે જ તેમણે ઉધોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે.

નિર્ણાયક મતદારોને સાધવા કરી બેઠક

રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે માત્ર 5 દિવસ બાકી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપે જીત માટે એડિચોટીનું જોર લગાવવું શરૂ કર્યું છે. જે અંતર્ગત રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય અને લેઉવા પટેલ અગ્રણીઓ સાથે બેઠક કરી છે. તેમણે ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે પણ બેઠક કરી છે. જેમાં લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે રાજકોટ બેઠક પર લેઉવા પટેલ સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. મહત્ત્વનું છે કે આ બેઠક પર લેઉવા પટેલ મતદારો નિર્ણયક મતદારો છે.

બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિઓ રહ્યા હાજર

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા કડવા પાટીદાર છે જયારે કોંગ્રેસે આ જ બેઠક પરથી લેઉવા પટેલ સમાજમાંથી આવતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ત્યારે નિર્ણાયક મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવાના ભાગ રૂપે પરષોતમ રૂપાલાએ આ બેઠક કરી હતી. આ બેઠકમાં જાણીતા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા. મહત્ત્વનું છે કે ક્ષત્રિયો પરના નિવેદન બાદ પરષોતમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પરષોતમ રૂપાલાએ આ અંગે ક્ષત્રિય સમાજની વારંવાર માફી પણ માંગી છે.

વધુ વાંચો: PM મોદી ગુજરાતની મુલાકાતે: આજે પ્રચારનો બીજો દિવસ, એક જ દિવસમાં સંબોધશે 4 લોકસભા

ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા જ પરષોતમ રૂપાલા અને પરેશ ધાનાણીની ચૂંટણી પંચે નોટિસ આપી છે. ચૂંટણી પંચે બંને ઉમેદવારો પાસેથી ચૂંટણી ખર્ચની વિગતો માંગી હતી. બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ