બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં 15 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ,જાણો હવામાન વિભાગની આગાહી
Last Updated: 03:56 PM, 3 April 2026
પોરબંદર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદી માહોલ છવાયો છે. કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થયા છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિં સેવી રહ્યા છે.
ADVERTISEMENT
ભારે પવન સાથે ઝરમર વરસાદ થયો શરૂ
ADVERTISEMENT
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
ADVERTISEMENT
જામખંભાળિયા શહેરમાં મુશળધાર વરસાદ
દ્વારકાના જામખંભાળિયા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો છે. ભરઉનાળે દ્વારકામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદને પગલે રામનાથ સોસાયટીમાં પાણી ભરાયા હતા. મુખ્ય રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ADVERTISEMENT
ભર ઉનાળે વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ચિંતા
ADVERTISEMENT
જામનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. શહેરના લાલબંગલા, વિક્ટોરિયા પુલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પંચેશ્વર ટાવર, સાત રસ્તા, પટેલ કોલોની રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ભરઉનાળે વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.
ADVERTISEMENT
મુંદ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યું માવઠું
કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા. મુંદ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં માવઠું પડ્યું હતું. ગાંધીધામ અને અંજારમાં પણ વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લઈ જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા હતા. વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાન થવાની ભીંતી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના સોલામાં ટાટા હેરિયર કારમાંથી શેર બજારના કારોબારી હર્ષદ પ્રજાપતિની લાશ મળી,બન્યું આઘાતજનક
કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ઝાપટાં
દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો. કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાં ઝાપટાં પડ્યા હતા. ભાટીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. કુદરતી માવઠાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કલ્યાણપુર તાલુકામાં આવેલ પિંડારા ગામે શિવકથામાં વિરામ આપ્યો હતો. ખંભાળિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.