પીએમ મોદીના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શન વધી ગયા છે.
કોઈ આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કોઈ માસ્ટરસ્ટ્રેક માની રહ્યું છે
પીએમના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શનનું પુર
એક યુઝર્સે લખ્યું, ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિએ, તો કોઈએ આ નિર્ણયનો કર્યો વિરોધ
ત્રણ કૃષિ કાયદાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછો ખેંચી લીધો છે. દિલ્હીની અલગ અલગ બોર્ડરો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક વર્ષ પુરુ થતા પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પીએમ મોદીના એલાન બાદ સોશિયલ મીડિયા પર રિએક્શન વધી ગયા છે. કોઈ આ નિર્ણયને ચૂંટણી સાથે જોડી રહ્યા છે તો કોઈ માસ્ટરસ્ટ્રેક ગણાવી રહ્યા છે.
હકિકતમાં ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ ના પ્રસંગ પર દેશને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું દેશવાસીઓની ક્ષમા માંગુ છું. સાચા મનથી કહ્યું છે કે કદાચ અમારી તપસ્યામાં કોઈ કમી રહી રહી હતી. અમે અમારી વાત કેટલાક ખેડૂત ભાઈઓને સમજાવી નથી શક્યા. આજે ગુરુનાનકજીના પ્રકાશ પર્વ છે. આજે હું સમગ્ર દેશને અ જણાવવા આવ્યો છું કે અમે 3 કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અમે ત્રણ કૃષિ કાયદાને રદ્દ કરવાના સંવૈધાનિક પ્રક્રિયાને જલ્દી શરુ કરીશું.
પીએમ મોદીના આ એલાન બાદ સોશિયલ મીડિયામાં રિએક્શનનું પુર આવ્યું છે. એક યુઝર્સે ટ્વીટર પર લખ્યું કે પેટા ચૂંટણીની હારે મોદીજીને ઘણું શીખી ગયા. પહેલા પેટ્રોલ- ડીઝલના ભાવ ઘટાડ્યા. હવે 3 નવા કૃષિ કાયદા પાછા લેવા પડ્યા, ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિએ.
ભક્ત કહે છે મોદી નથી ઝૂક્તા
ઝૂકતી હૈ દુનિયા ઝૂકાને વાલા ચાહિએ
યુપીમાં ચૂંટણીની હારને જોતા 3 કુષિ કાયદાને પાછા લીધા છે
ત્યારે એક યુઝરે લખ્યું કે કૃષિ આંદોલનમાં શહીદ થયા 700 થી વધારે ખેડૂતોને નમન, તમારી કુર્બાની વ્યર્થ નથી ગઈ. મોદીએ આખરે ઝૂકવુ પડ્યું. એક્તા જિંદાબાદ, ઈન્કલાબ જિંદાબાદ.
ત્યારે એક યુઝરે ટ્વીટર પર લખ્યું એક અભિમાની, અહંકારી, ઘમંડી અને 700 ખેડૂતોની હત્યારી સરકારને આખરે ખેડૂતના અહિંસક આંદોલન આગળ નમવુ પડ્યુ છે. પરંતુ આ અડધી જીત છે. જ્યાં સુધી એમએસપીની કાયદેસરની ગેરન્ટી ન મળી જાય.
જો કે અનેક લોકો કૃષિ કાયદાને પાછા લેવાનો વિરોધ કરી રહ્યા છે. એક ટ્વીટર યુઝરે લખ્યું, આ બહું દુઃખદ છે કે કેટલાક માથા ફરેલાની વાતમાં આવીને તમે નવા કૃષિ કાયદાને રદ્દ કરી દીધો છે. આ કૃષિ કાયદાનું મહત્વ નોકરી માટે બીજા શહેરમાં વસી ગયેલા લોકોને ખબર હતી કે જે ખેતી માટે સમયે ઘરે નથી આવી શકતા.
ત્યારે એક ટ્વીટર યુઝર્સે લખ્યું કે બહું ખરાબ થઈ રહ્યું છે જે બિલથી લાખો ખેડૂતોની આકાંક્ષા જોડાયેલી હતી અને કેટલાક વચેટિયાના દબાણમાં આવીને કૃષિ કાયદાને પાછો લેવો પડ્યો તે યોગ્ય નથી. જે લોકો એમએસપીની ગેરન્ટી માંગી રહ્યા છે. તે ગત 75 વર્ષથી ક્યાં હતા.