બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના શહીદ સુખદેવ ટાઉનશિપમાં ભ્રષ્ટાચારનો પુરાવો VTVના કેમેરામાં કેદ, જુઓ
Last Updated: 04:20 PM, 3 February 2026
રાજકોટ શહેરમાં ભ્રષ્ટાચાર સામેના દાવાઓ વચ્ચે આવાસ યોજનામાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના દૃશ્યો સામે આવ્યા છે. શીતલપાર્ક વિસ્તારમાં આવેલી શહીદ સુખદેવ ટાઉનશીપમાં બાંધકામની નબળી ગુણવત્તા ભ્રષ્ટાચારના પુરાવા તરીકે સામે આવી રહી છે.
ADVERTISEMENT

માત્ર રેતી પર લાદી પાથરી દીધી હોય તેવા દ્રશ્યો
ADVERTISEMENT
ટાઉનશીપમાં લગાવેલી ફ્લોર ટાઈલ્સ પત્તાની જેમ ઉખડી રહી હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ટાઈલ્સની નીચે સિમેન્ટ કે કોંક્રિટનો કોઈ આધાર જ દેખાતો નથી. માત્ર રેતી પર ટાઈલ્સ પાથરી દેવાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે બાંધકામના ધોરણો પર મોટો સવાલ ઊભો કરે છે.

ADVERTISEMENT
રહેવાસીઓમાં ભય અને રોષની લાગણી ફેલાઈ
શહીદ સુખદેવ ટાઉનશીપમાં અનેક ફ્લેટોમાં લાદી સંપૂર્ણપણે ઉખડી ગઈ છે, જેના કારણે રહેવાસીઓમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે આ ટાઉનશીપનું નિર્માણ વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું, એટલે કે માત્ર થોડા વર્ષોમાં જ બાંધકામની હકીકત સામે આવી ગઈ છે.
ADVERTISEMENT

રહેવાસીઓએ શું આક્ષેપ કર્યા
ADVERTISEMENT
શીતલપાર્કની આ ટાઉનશીપમાં કુલ 448 ફ્લેટ ધારકો રહે છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે સરકારી આવાસ યોજનાના નામે નીચી ગુણવત્તાનું કામ કરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ એક તરફ મંત્રીએ બંધારણને ફોલો કર્યું, તો બીજી તરફ કલાકાર અર્જુન ઠાકોરે કર્યો નિયમોનો ઉલાળિયો
જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે?
એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ વિભાગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ બેનર લગાવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ આવી ટાઉનશીપોમાં સામે આવી રહેલા દૃશ્યો તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેવાશે અને રહેવાસીઓને ન્યાય મળશે કે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.