બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / નિર્જળા એકાદશીએ પાણી પણ કેમ નથી પીવાતું? ભીમસેન સાથે જોડાયેલી રસપ્રદ કથા જાણો

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / નિર્જળા એકાદશીએ પાણી પણ કેમ નથી પીવાતું? ભીમસેન સાથે જોડાયેલી રસપ્રદ કથા જાણો

Last Updated: 12:38 PM, 24 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સનાતન ધર્મમાં નિર્જળા એકાદશીને સૌથી મહત્વપૂર્ણ અને પુણ્યદાયી એકાદશી માનવામાં આવે છે. આ દિવસે ભક્તો અન્નની સાથે પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરે છે.

1/6

photoStories-logo

1. નિર્જળા એકાદશી

જેઠ મહિનાની સુદ એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ એકાદશીનું વ્રત વર્ષભરની તમામ એકાદશીઓમાં સૌથી કઠિન માનવામાં આવે છે, કારણ કે તેમાં આખો દિવસ અને રાત પાણી પણ પીવાનું નથી હોતું. ધાર્મિક માન્યતા મુજબ આ વ્રત કરવાથી તમામ 24 એકાદશીનું પુણ્ય મળે છે. આ વ્રત પાછળ મહાભારતના ભીમસેન સાથે જોડાયેલી એક રસપ્રદ કથા પણ પ્રચલિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. આ દિવસે પાણી કેમ નથી પીવાતું?

નિર્જળા એટલે 'પાણી વગર'. જેઠ મહિનાની ગરમીમાં પાણીનો ત્યાગ કરવો એ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણનું પ્રતિક માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પાણી ન પીવાથી વ્યક્તિ પોતાની ઇચ્છાઓ પર વિજય મેળવે છે. આ કઠિન તપસ્યા ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે અને વિશેષ પુણ્ય આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભીમસેન સાથે જોડાયેલી રસપ્રદ કથા

મહાભારત કાળમાં પાંડવો અને દ્રૌપદી નિયમિત એકાદશી વ્રત કરતા હતા. પરંતુ ભીમસેનને ખૂબ જ ભૂખ લાગતી હોવાથી તેઓ ઉપવાસ કરી શકતા નહોતા. તેથી તેઓ મહર્ષિ વેદવ્યાસ પાસે ગયા અને કોઈ સરળ ઉપાય પૂછ્યો. ત્યારે વેદવ્યાસજીએ તેમને વર્ષમાં માત્ર એક વખત નિર્જળા એકાદશીનું કઠિન વ્રત રાખવાની સલાહ આપી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કેવી રીતે પડ્યું 'ભીમસેની એકાદશી' નામ?

મહર્ષિ વેદવ્યાસના કહેવા મુજબ ભીમસેને સંપૂર્ણ શ્રદ્ધા સાથે નિર્જળા એકાદશીનું વ્રત કર્યું. આખો દિવસ અને રાત તેમણે અન્ન અને પાણીનો ત્યાગ કર્યો. બીજા દિવસે ભારે નબળાઈને કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ ગંગાજળ અને તુલસીથી તેમની ચેતના પાછી આવી. ત્યારથી આ એકાદશી 'ભીમસેની એકાદશી' તરીકે પણ ઓળખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. નિર્જળા એકાદશીએ દાનનું મહત્વ

આ દિવસે વ્રતની સાથે દાનનું પણ વિશેષ મહત્વ છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ હોવાથી પાણીથી ભરેલા ઘડા, છાશ, શરબત અને ઠંડી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત પંખા, છત્રી, તરબૂચ, ખરબૂચા અને સત્તુનું દાન પણ પુણ્યદાયી ગણાય છે. જરૂરિયાતમંદ લોકોને પાણી અને ઠંડા પીણાં આપવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bhimsen Story Ekadashi Fast Nirjala Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ