બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / AMCને જ ખબર નથી સુભાષ બ્રિજ તોડવો કે નહીં! 6 મહિનાથી પરેશાન થઇ રહ્યા છે અમદાવાદીઓ, હજી રાહ જોવી પડશે
Last Updated: 01:40 PM, 24 June 2026
અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો સુભાષબ્રિજ છેલ્લા છ મહિનાથી બંધ છે. દરરોજ હજારો વાહનચાલકો અને મુસાફરોને લાંબા ડાયવર્ઝન, ટ્રાફિક જામ અને વધતા સમયના બોજનો સામનો કરવો પડી રહ્યો છે. સુભાષ બ્રિજ બંધ કરાયો તેને છ-છ મહિના થઈ ગયા હોવા છતાં નવો બ્રિજ બનાવવો કે તેનું સમારકામ કરવું તે નિર્ણય ન લઈ શકતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ગંભીર સવાલો ઊભા થયા છે.
ADVERTISEMENT
ડિસેમ્બર 2025માં બ્રિજમાં તિરાડો દેખાતા તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. તે સમયે AMC દ્વારા બ્રિજના સ્પાન બદલવા અને જરૂરી રિપેરિંગ કરીને તેને ફરી શરૂ કરવાની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ છ મહિનાના લાંબા ઈંતેજાર પછી પણ AMC કાચબાની ગતિએ કામ કરી રહી છે.
સૌથી મોટો સવાલ એ છે કે જો બ્રિજની સ્થિતિ એટલી જ ગંભીર હતી, તો પ્રાથમિક તપાસ દરમિયાન જ આ હકીકત સામે કેમ આવી નહીં? IIT રૂડકી, IIT મુંબઈ અને SVNIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની મદદ લેવામાં આવી હોવા છતાં અંતિમ નિર્ણય સુધી પહોંચવામાં છ મહિના કેમ લાગી ગયા?
ADVERTISEMENT
બ્રિજનું આયુષ્ય 50 વર્ષથી વધુ થઈ ચૂક્યું છે અને જૂની ટેક્નોલોજીથી બનેલો આ બ્રિજ વર્તમાન ટ્રાફિકના ભારણને સહન કરવા માટે યોગ્ય નથી. વધુમાં, નવો બ્રિજ બનાવવો જ લાંબા ગાળાનો શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું પણ સૂચવાયું હતું. જો આ અભિપ્રાય શરૂઆતથી જ ઉપલબ્ધ હતો, તો AMCએ નિર્ણય લેવામાં આટલો વિલંબ શા માટે કર્યો?
આ વિલંબનો સીધો ભોગ અમદાવાદની જનતા બની છે. એરપોર્ટ તરફ જતા મુસાફરો હોય કે રોજિંદા ઓફિસ જતાં નાગરિકો, સૌએ છેલ્લા છ મહિનાથી વધારાના ટ્રાફિક અને સમયની સમસ્યાઓનો સામનો કર્યો છે. પ્રશ્ન એ છે કે શું AMCએ લોકોની મુશ્કેલીઓને પૂરતી ગંભીરતાથી લીધી?
ADVERTISEMENT
શહેરના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે સમયસર નિર્ણય લેવાની જવાબદારી તંત્રની હોય છે. પરંતુ સુભાષ બ્રિજના કેસમાં AMCની આયોજન ક્ષમતા, ટેક્નિકલ મૂલ્યાંકન અને નિર્ણય પ્રક્રિયા પર પ્રશ્નચિહ્ન લાગી રહ્યું છે. જો આખરે નવો બ્રિજ જ બનાવવાનો હતો, તો આ નિર્ણય છ મહિના પહેલા કેમ લેવામાં આવ્યો નહીં?
ADVERTISEMENT
અમદાવાદ ઝડપથી વિકસતું શહેર છે અને તેના ટ્રાફિક નેટવર્ક માટે દરેક મહત્વનો માર્ગ અને બ્રિજ અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં તંત્રની ધીમી નિર્ણય પ્રક્રિયા માત્ર વહીવટી ખામી જ નહીં, પરંતુ નાગરિકોના સમય અને સુવિધા સાથેનો અન્યાય પણ ગણાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.