બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:29 PM, 22 August 2025
બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના લગ્ન જીવન વિશે છેલ્લા કેટલાય સમયથી અફવા અને ચર્ચાઓ ચાલી રહી છે. હવે માહિતી બહાર આવી રહી છે કે બંને વચ્ચેના સંબંધો ખરેખર તૂટી પડ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ સુનિતાએ 5 ડિસેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે.
ADVERTISEMENT

એક રિપોર્ટ અનુસાર, સુનિતાએ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડાની અરજી આપી છે અને તેમાં ક્રૂરતા અને છેતરપિંડી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. જણાવાયું છે કે ગોવિંદાને સમન્સ પાઠવવામાં આવ્યો હતો, પરંતુ તે અત્યાર સુધીમાં કોર્ટમાં હાજર રહ્યો નથી. બીજી તરફ સુનિતા દરેક સુનાવણીમાં હાજર રહી છે અને કોર્ટના કાઉન્સેલિંગ સત્રોમાં પણ ગોવિંદાની ગેરહાજરી નોંધાઇ છે.
ADVERTISEMENT
સુનિતાએ તાજેતરમાં પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરી છે અને ત્યાથી લગ્ન જીવનને લઈને ઘણાં ખુલાસા કર્યા છે. એક વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વારંવાર પોતાની માતાને પ્રાર્થના કરતી હતી કે તેમના લગ્નજીવન પર આશીર્વાદ આપે. સુનિતાએ કહ્યું કે, "મને માતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે મારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરી છે.

ADVERTISEMENT
મેં ગોવિંદા સાથે લગ્ન કર્યા અને મારી પાસે બે બાળકો છે." વિડિયો દરમિયાન સુનિતા ઘણી ભાવુક થઇ હતી અને આ વાક્ય બોલતી જોવા મળી: "જે કોઈ મારી લાગણીઓને ઠેસ પહોંચાડશે, મા કાલી તેમનું ગળું કાપી નાખશે. કોઈ પણ મારી જેમ સારા ઘર અને સારા જીવન માટે પ્રયત્નશીલ સ્ત્રીને દુઃખ નહીં આપવું જોઈએ."

ADVERTISEMENT
અલગ રહેવાની બાબત પર સ્પષ્ટતા
ગત દિવસોમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી પતિ ગોવિંદાથી અલગ રહે છે. જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા પણ આપી હતી કે આનો અર્થ સંબંધ તૂટી ગયાનું નથી. તેમણે કહ્યું કે, "ગોવિંદાની મીટિંગ્સ અને વ્યવસાયની સાથે ચાલતી અફરાતફરીને કારણે હું બાળકો સાથે બીજાં ઘરમાં રહેવું પસંદ કરતી હતી.
ADVERTISEMENT
વધુમાં વાંચો: Bigg Bossમાં એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ, સલમાનના શોમાં રેસલર અંડરટેકરની એન્ટ્રી!
" ગોવિંદા અને સુનિતાનો સંબંધ બોલિવૂડના સૌથી મજબૂત દંપતીમાં ગણાતો રહ્યો છે. 1987 માં લગ્ન બાદ બંને બહુ સમય સુધી જાહેર જીવનમાં એકસાથે જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં છૂટાછેડાની અફવા અને કોર્ટે કામગીરીની પુષ્ટિ મળતા ચાહકોમાં નિરાશાનો માહોલ છે. હવે જોવાનું એ રહેશે કે ગોવિંદાની તરફથી કોઈ અધિકૃત નિવેદન આવે છે કે નહીં અને આ સંબંધો ભવિષ્યમાં કઈ દિશામાં વળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.