બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સુનિતા આહુજાએ છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ

મનોરંજન / સુનિતા આહુજાએ છૂટાછેડા માટે કેસ દાખલ કર્યો, ગોવિંદા પર લગાવ્યા ગંભીર આરોપ

Last Updated: 06:29 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના લગ્ન જીવનમાં તણાવની અટકળો હવે હકીકતમાં ફેરવાઇ રહી છે. 37 વર્ષના લગ્ન બાદ સુનિતાએ છૂટાછેડાની અરજી દાખલ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, જ્યારે ગોવિંદા હજુ સુધી કોર્ટમાં હાજર રહ્યા નથી.

બોલીવૂડના લોકપ્રિય અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાના લગ્ન જીવન વિશે છેલ્લા કેટલાય સમયથી અફવા અને ચર્ચાઓ ચાલી રહી છે. હવે માહિતી બહાર આવી રહી છે કે બંને વચ્ચેના સંબંધો ખરેખર તૂટી પડ્યા છે. હાલમાં મળતી માહિતી મુજબ સુનિતાએ 5 ડિસેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે.

GOVIND-COVER

એક રિપોર્ટ અનુસાર, સુનિતાએ હિન્દુ લગ્ન અધિનિયમ હેઠળ છૂટાછેડાની અરજી આપી છે અને તેમાં ક્રૂરતા અને છેતરપિંડી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. જણાવાયું છે કે ગોવિંદાને સમન્સ પાઠવવામાં આવ્યો હતો, પરંતુ તે અત્યાર સુધીમાં કોર્ટમાં હાજર રહ્યો નથી. બીજી તરફ સુનિતા દરેક સુનાવણીમાં હાજર રહી છે અને કોર્ટના કાઉન્સેલિંગ સત્રોમાં પણ ગોવિંદાની ગેરહાજરી નોંધાઇ છે.

સુનિતાએ તાજેતરમાં પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરી છે અને ત્યાથી લગ્ન જીવનને લઈને ઘણાં ખુલાસા કર્યા છે. એક વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વારંવાર પોતાની માતાને પ્રાર્થના કરતી હતી કે તેમના લગ્નજીવન પર આશીર્વાદ આપે. સુનિતાએ કહ્યું કે, "મને માતા પર સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમણે મારી બધી ઇચ્છાઓ પૂર્ણ કરી છે.

GOVIND-1-

મેં ગોવિંદા સાથે લગ્ન કર્યા અને મારી પાસે બે બાળકો છે." વિડિયો દરમિયાન સુનિતા ઘણી ભાવુક થઇ હતી અને આ વાક્ય બોલતી જોવા મળી: "જે કોઈ મારી લાગણીઓને ઠેસ પહોંચાડશે, મા કાલી તેમનું ગળું કાપી નાખશે. કોઈ પણ મારી જેમ સારા ઘર અને સારા જીવન માટે પ્રયત્નશીલ સ્ત્રીને દુઃખ નહીં આપવું જોઈએ."

Promo New Parul

અલગ રહેવાની બાબત પર સ્પષ્ટતા

ગત દિવસોમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતાએ જણાવ્યું હતું કે તેઓ ઘણા વર્ષોથી પતિ ગોવિંદાથી અલગ રહે છે. જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા પણ આપી હતી કે આનો અર્થ સંબંધ તૂટી ગયાનું નથી. તેમણે કહ્યું કે, "ગોવિંદાની મીટિંગ્સ અને વ્યવસાયની સાથે ચાલતી અફરાતફરીને કારણે હું બાળકો સાથે બીજાં ઘરમાં રહેવું પસંદ કરતી હતી.

વધુમાં વાંચો: Bigg Bossમાં એન્ટરટેઈનમેન્ટનો ડબલ ડોઝ, સલમાનના શોમાં રેસલર અંડરટેકરની એન્ટ્રી!

" ગોવિંદા અને સુનિતાનો સંબંધ બોલિવૂડના સૌથી મજબૂત દંપતીમાં ગણાતો રહ્યો છે. 1987 માં લગ્ન બાદ બંને બહુ સમય સુધી જાહેર જીવનમાં એકસાથે જોવા મળ્યા હતા. આવી પરિસ્થિતિમાં છૂટાછેડાની અફવા અને કોર્ટે કામગીરીની પુષ્ટિ મળતા ચાહકોમાં નિરાશાનો માહોલ છે. હવે જોવાનું એ રહેશે કે ગોવિંદાની તરફથી કોઈ અધિકૃત નિવેદન આવે છે કે નહીં અને આ સંબંધો ભવિષ્યમાં કઈ દિશામાં વળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Govinda divorce news Sunita Ahuja separation Bollywood celebrity divorce
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ