બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / ભારત / election commission issues an advisory to congress mp rahul gandhi statements on pm modi
Manisha Jogi
Last Updated: 07:42 PM, 6 March 2024
ચૂંટણી આયોગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને એડવાઈઝરી જાહેર કરી છે. રાહુલ ગાંધીને નિવેદન આપવા બાબતે સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. ચૂંટણી આયોગે પ્રધાનમંત્રી માટે આપવામાં આવેલ નિવેદન બાબતે દિલ્હી હાઈકોર્ટના આદેશ અને રાહુલ ગાંધીના જવાબ સહિત તમામ તથ્યો પર વિચારણાં કર્યા પછી રાહુલ ગાંધીને નિવેદન આપવા બાબતે સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે.
સૂત્રો અનુસાર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 'પનોતી' અને 'ખિસ્સાકાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાબતે ચૂંટણી આયોગે એડવાઈઝરી જાહેર કરી છે. ભાજપે ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી, જેના આધાર પર સંજ્ઞાન લેતા ચૂંટણી આયોગે રાહુલ ગાંધીને 23 નવેમ્બર 2023ના રોજ કારણ બતાવો નોટીસ જાહેર કરી હતી. આ બાબતે રાહુલ ગાંધીએ જવાબ આપ્યા પછી એડવાઈઝરી જાહેર કરી છે.
ચૂંટણી આયોગે રાહુલ ગાંધીને ચૂંટણી પ્રચાર દરમિયાન સ્ટાર પ્રચારક અને રાજનૈતિક નેતાઓ માટે જાહેર કરેલ એડવાઈઝરીનું યોગ્ય પ્રકારે પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ વર્ષે ચૂંટણી આયોગે 1 માર્ચના રોજ એડવાઈઝરી જાહેર કરીને ચેતવણી આપી હતી કે, આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન કરવામાં આવશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે સ્ટાર પ્રચારક અને ઉમેદવારને અગાઉ નોટીસ આપી હતી તેઓ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તો તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
વધુ વાંચો: પૂર્વ સાંસદ ધનંજય સિંહને 7 વર્ષની સજા, અપહરણ ખંડણીનો કેસ, નહીં લડી શકે લોકસભા ચૂંટણી
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે 'પનોતી' અને 'ખિસ્સાકાતરું' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાબતે ચૂંટણી આયોગ ગયા વર્ષે રાહુલ ગાંધીને નોટીસ જાહેર કરી હતી. આ પ્રકારના નિવેદન બાબતે દિલ્હી હાઈકોર્ટે 21 ડિસેમ્બરના રોજ જાહેર કરેલ નોટીસ બાબતે નિર્ણય લેવાનું કહ્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો