બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
Manisha Jogi
Last Updated: 05:31 PM, 6 March 2024
ઉત્તરપ્રદેશની જૌનપુર લોકસભા સીટ પરથી સાંસદ રહી ચૂકેલ જેડીયૂના રાષ્ટ્રીય મહાસચિવ ધનંજય સિંહને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. MP MLA કોર્ટે મંગળવારે ધનંજય સિંહને અપહરણ અને ખંડણીના કેસમાં દોષિત કરાર આપ્યો હતો અને ત્યારપછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, અને તેમનું રાજનૈતિક કરિઅર ડામાડોળ થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
10 મે 2020ના રોજ જોનપુર લાઈન બજાર સ્ટેશનમાં મુઝફ્ફરનગર નિવાસી નમામિ ગંગેના પ્રોજેક્ટ મેનેજર અભિનવ સિંઘલે ધનંજય સિંહ અને તેમના સાથી વિક્રમ પર અપહરણ અને ખંડણી માંગવાનો આરોપ મુકીને તેમની સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસને જાણકારી આપવામાં આવી હતી કે, અભિનવ સિંઘલનું અપહરણ કરીને પૂર્વ સાંસદના ઘરે લઈ જવામાં આવ્યો હતો.
ધનંજય સિંહ ત્યાં પિસ્તોલ લઈને આવ્યા હતા અને તેમને ગાળો આપીને ઓછી ગુણવત્તાવાળો સામાન આપવા માટે કહ્યું હતું. અભિનવ સિંઘલે ના પાડતા તેને ધમકી આપીને તેની પાસેથી ખંડણી માંગી હતી. આ ફરિયાદના આધાર પર પોલીસે ધનંજય સિંહ અને તેના સહયોગીઓ સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી, ત્યારપછી કોર્ટમાંથી જામીન આપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ધનંજય સિંહ આગામી લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. ભાજપ ઉમેદવાનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવતા ધનંજય સિંહે પ્રતિક્રિયા આપી હતી. ભાજપે જૌનપુર લોકસભા સીટ પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી કાર્ય કરી ચૂકેલ કૃપાશંકર સિંહનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.
ધનંજય સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે, 'સાથીઓ તૈયાર રહો, એક જ લક્ષ્ય લોકસભા 73, જૌનપુર. અને તેની સાથે 'જીતેગા જૌનપુર જીતેંગે હમ'ના નારા સાથે પોતાનો જ ફોટો શેર કર્યો હતો.' ધનંજય સિંહ નીતિશકુમારની પાર્ટી JDU તરફથી લડશે કે, નિર્દળીય ઉમેદવાર તરીકે લડશે, તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.
साथियों! तैयार रहिए...
— Dhananjay Singh (@MDhananjaySingh) March 2, 2024
लक्ष्य बस एक लोकसभा 73 , जौनपुर#Election2024 pic.twitter.com/0UXtsAEzCZ
27 વર્ષની ઉંમરે પહેલી વાર ધારાસભ્ય બન્યા
ધનંજય સિંહ 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા. તેમણે વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં નિર્દળીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, ત્યારપછી વર્ષ 2007ની ચૂંટણીમાં જનતા દળ યુનાઈટેડની ટિકીટ પર ચૂંટણી લડીને જીત મેળવી હતી. વર્ષ 2009માં બસપા ટિકીટ પર લોકસભા ચૂંટણી લડીને જીત મેળવી હતી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ધનંજય સિંહ ઉપી એકવાર JDUની ટિકીટ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. જૌનપુરથી ભાજપ ઉમેદવારની જાહેરાત થયા પછી તેમના આશાઓ પર પાણી ફરી વળ્યું છે, તેમ છતાં તેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
વધુ વાંચો: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઇ! પહેલી વાર 74 હજારને પાર, આ શેરોમાં આગ ઝરતી તેજી
... મર્યા પછી જીવિત થયા ધનંજય સિંહ!
ભદોહી પોલીસે મિર્ઝાપુર સીમા પર 17 ઓક્ટોબર 1998ના રોજ 4 બદમાશોને ઠાર કર્યા હતા. ત્યારપછી પોલીસે દાવો કર્યો હતો કે, પેટ્રોલ પંપ લુંટવા જઈ રહેલ બદમાશોની અથડામણમાં ધનંજય સિંહનું મોત થઈ ગયું છે. તો સમયે ભદોહી પોલીસની વાહવાહી કરવામાં આવી રહી હતી, પરંતુ બીજા દિવસે લોકો તેમની મજાક ઉડાવવા લાગ્યા. 11 જાન્યુઆરી 1999ના રોજ ધનંજયે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT