બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / ગુજરાત / અમદાવાદ / egg non veg lorries removed decision Confusion amc ahmedabad cm bhupendra patel
Hiren
Last Updated: 10:14 PM, 15 November 2021
રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર મનપા બાદ હવે અમદાવાદમાં પણ નોનવેજની લારીઓને હટાવવાનો તંત્રએ નિર્ણય લીધો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરમાર્ગ પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય લીધો છે. તો સાથે ધાર્મિક સ્થળો અને કોલેજ સ્કુલ કોમ્યુનિટી હોલ પાસે પણ ઇંડા અને નોનવેજ ન વેચી શકાય તેવો નિણર્ય AMCના ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે. તો અમદાવાદ મનપાના આ નિર્ણય બાદ મુખ્યમંત્રીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
આવો નિર્ણય કેમ લેવાયો તેની મૂંઝવણ વચ્ચે આખરે કઈ લારીઓ હટશે તેની પણ મૂંઝવણ વધી
આવો નિર્ણય કેમ લેવાયો તેની મૂંઝવણ ચાલી રહી છે આ વચ્ચે આખરે કઈ લારીઓ હટશે તેની પણ મૂંઝવણ વધી છે. મનપા અને સરકારના નિવેદનથી લોકો અને વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નોનવેજ-ઇંડાની લારીઓથી બાળકો અને લોકોને અસર થાય છે, તેથી જાહેર માર્ગો પરની આવી લારી હટાવાશે. તો બીજી તરફ આણંદ ખાતે એક કાર્યક્રમ દરમિયાન આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, 'સરકાર માને છે કે નાગરિકોને જે ખાવું હોય તે ખાઇ શકે છે,' એટલે રાજ્ય સરકાર ટ્રાફિકને અડચણ રૂપ લારીઓ અંગે વાત કરી હતી છે જ્યારે અમદાવાદ મનપા માત્ર નોનવેજ-ઇંડાની લારીઓ હટાવવા માટે કહી રહી છે. જેને લઇને અન્ય લારીઓના ધંધાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે કોનું માનવું? તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.
રાજ્યમાં નોનવેજ-ઇંડાની લારીઓ જાહેર માર્ગો-રસ્તા પરથી હટાવવા મુદ્દે મુંઝવણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
AMC ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેને શું કહ્યું?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime