બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 04:22 PM, 2 August 2022
આયુર્વેદમાં લસણને ઔષધી ગણવામાં આવે છે. વિટામીન B1, B6 અને C ઉપરાંત મેંગેનીઝ, કેલ્શિયમ, કોપર, સેલેનિયમ જેવા પોષક તત્વો લસણમાં મળી આવે છે. આ ઉપરાંત, તેમાં એલિસિન નામનું એક વિશેષ ઔષધીય તત્વ હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટિવાયરલ, એન્ટિફંગલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. આ રીતે લસણ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.
એવું કહેવાય છે કે જો રોજ ખાલી પેટે લસણની બે કળીઓ ગળી લેવામાં આવે તો તમારા સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ મળે છે અને શરીર તમામ રોગોથી સુરક્ષિત રહે છે. આવો જાણીએ લસણના તમામ ફાયદાઓ વિશે.
પેટની સમસ્યાઓ થાય છે દૂર
આયુર્વેદમાં પેટને અડધાથી વધુ રોગોનું મૂળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો લસણની બે કળીઓને સવારે ખાલી પેટ પાણી સાથે ગળવામાં આવે તો પાચન સંબંધી તમામ સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત વગેરે દૂર થાય છે.
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરે છે
લસણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તેને નિયમિત ખાવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમારું શરીર તમામ રોગો સામે લડવામાં સક્ષમ બને છે. શરીરને ડિટોક્સિફાય કરવાથી તમારા શરીર અને તમારી ત્વચા બંનેને ઘણા ફાયદા થાય છે.
વજન ઘટાડવામાં ઉપયોગી
વજન ઘટાડવાની બાબતમાં પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવા તમામ તત્વો લસણમાં જોવા મળે છે. જે મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે અને શરીરની ચરબી ઝડપથી બર્ન કરે છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે.
બ્લડ શુગર કંટ્રોલ કરે છે
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લસણ ખૂબ સારું માનવામાં આવે છે. તેમાં જોવા મળતું એલિસિન નામનું તત્વ લોહીમાં શુગરના લેવલને નિયંત્રિત કરે છે. જેમને ડાયાબિટીસ નથી તેઓ રોજ સવારે લસણનું સેવન કરે તો ડાયાબિટીસનો ખતરો ઓછો થઈ જાય છે.
સિઝનલ રોગોથી મળશે રક્ષણ
લસણની બે કળીને નિયમિત રીતે પાણી સાથે ગળવાથી પણ સિઝનલ રોગોમાં રાહત મળે છે. દરરોજ લસણનું સેવન કરવાથી શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ ઝડપથી નહીં થાય. તેમજ ટીબી અને અસ્થમા જેવા દર્દીઓ માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ઘટાડે છે કેન્સરનું જોખમ
એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિબાયોટિક અને એન્ટિકાર્સિનોજેનિક ગુણોથી ભરપૂર હોવાથી લસણ કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ ઘટાડે છે. તેમજ જે લોકોને હાઈ બીપીની સમસ્યા હોય તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime