બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / આરોગ્ય / Eating these fruits in summer keeps diseases away, also reduces the risk of cancer and heart disease
Dinesh
Last Updated: 07:11 PM, 15 April 2024
ઉનાળાની ઋતુ શરુ થઈ ચુકી છે એવામાં ભોજન ઓછુ ખવાય છે અને તરસ વધુ લાગે છે. ઉનાળામાં શરીરમાંથી વધારે પરસેવો નીકળતો હોય છે. જેથી શરીરને હેલ્થી રાખવા માટે ડ્રિંકની સાથે કેટલાક ફળો પણ ખાવા જરુરી છે. જે તમને શરીરમાં ઠંડક આપવાની સાથે વિટામીન, મિનરલ્સ જેવા તત્વો પણ આપે છે, જે તમને હાઈડ્રેટ કરવાનું કામ પણ કરે છે. આવો જાણીયે, એવા ફળો વિશે જેને ઉનાળામાં ખાવાથી ખૂબ ફાયદો થાય છે. જે તમને હેલ્થી રાખવાનું કામ કરે છે, તેનાથી તમારી ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે.
કેરી
ઉનાળામાં ફળોના રાજા એટલે કે કેરીની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. કેરી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી સાથે તેનામાં પૂરતુ પોષણ પણ હોય છે. કેરી અલગ અલગ પ્રકારની હોય છે. કેરીમાં વિટામીન એ, વિટામીન સી, આયરન અને ફાયબર પરતી માત્રામાં હોય છે. કેરીમાં એન્ટી ઓક્સિડેન્ટ, કેલ્સિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો પણ હોય છે. કેરીનું જ્યુસ પણ પીવાય છે, અને ટુકડા કરીને પણ ખવાય છે.
તરબૂચ
ઉનાળાની ગરમીમાં તરબૂચ ખૂબ ફાયદાકારક છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની અછત રહેતી નતી. તરબૂચ હ્રદય માટે ખૂબ ફાયદારુપ છે. તેનામાં રહેલા વિટામીન અને મિનરલ્સ હ્રદયને સ્વાસ્થ્ય રાખે છે. એક સ્ટડી મુજબ તરબૂચથી લાઈકોપીન પ્રોસ્ટેટ અને કોલોરેક્ટલ કેંસરનો ખતરો ઓછો થાય છે. તરબૂચમાં પોટેશિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામીન સીની ભરમાર હોય છે. તરબૂચથી શરીરના હાડકા, જોઈન્ટ્સ મજબૂત થાય છે. તરબૂચમાં રહેલુ બીટા ક્રિપ્ટોક્સૈન્થિન નામનું તત્વ તમારા જોઈન્ટ્સમાં થતા સોજાને અટકાવે છે. તરબૂચથી ઓસ્ટિયોપોરોસિસ કે રુમેટાઈડ અર્થરાઈટિસથી રક્ષણ મળે છે.
દ્રાક્ષ
ઉનાળામાં દ્રાક્ષ ખુબ ફાયદાકારક હોય છે. દ્રાક્ષમાં વિટામીન એ, વિટામીન સી, ફાઈબર, સોડિયમ જેવા તત્વો હોય છે. આ પોષક તત્વોથી શરીરને ઉર્જા મળે છે, તેનાથી શરીરની અનેક સમષ્યાઓ પણ દૂર થાય છે.
વાંચવા જેવું: શેર બજારમાંથી રૂપિયા કમાવવા હોય તો આ શેર પર લક અજમાવજો, 1250 પર જશે તેવો દાવો
નારંગી
ઉનાળામાં નારંગી ખૂબ ખાવી જોઈએ. નારંગીમાં સામેલ વિટામીન સી,વિટામીન ડી, બીટા કેરોટિન, ફાઈબર, ઝિંક જેવા તત્વો તમારા શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો કરે છે. ઉનાળામાં નારંગીની ડીમાન્ડ પણ વધી જતી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh