બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / Dogs created terror in Surat

કોણ જવાબદાર? / સુરતમાં શ્વાને આતંક મચાવ્યો, સામે આવ્યા 14 કેસ, આજે ફરી 4 વર્ષની બાળકીને બચકાં ભરી ઘાયલ કરી

Vishal Khamar

Last Updated: 11:58 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ફરી શ્વાનનો આતંક વધવા પામ્યો છે. ગત રોજ શ્વાનોએ ભેગા મળી ઘરની પાસે રમી રહેલ બાળકી પર અચાનક હુમલો કરી તેને બચકા ભર્યા હતા. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.

  • સુરતમાં 4 વર્ષની બાળકી પર શ્વાને કર્યો હુમલો
  • બાળકી બેભાન અવસ્થામાં મળી આવી
  • ફરજ પરના ર્ડાક્ટરે બાળકીને મૃત જાહેર કરી

 સુરતમાં 4 વર્ષની બાળકી નજીકની ઝાળીઓમાં ગાયોને નાંખેલી ચારમાં શેરડી લેવા ગઈ હતી. તે દરમ્યાન 8 થી 10 જેટલા શ્વાનોએ અચાનક બાળકી પર હુમલો કર્યો હતો. માતા-પિતા કામ પરથી પરત આવી રહ્યા હતા.  તે દરમ્યાન બાળકીની શોધખોળ કરતા બાળકી બેભાન હાલતમાં મળી આવી હતી. જે બાદ બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલનાં તબીબો દ્વારા બાળકીને મૃત જાહેર કરી હતી. 

સુરતમાં શ્વાન કરડવાના રોજના નવા 13 કેસ
સુરત શહેરમાં દિન પ્રતિદિન કૂતરાનો આતંક વધી રહ્યો છે. સુરત સિવિલમાં  શ્વાન કરડવાના 13 નવા કેસ નોંધાવા પામ્યા હતા. જ્યારે એન્ટી રેબિસ વિભાગના જણાવ્યા અનુસાર રોજ કૂતરા કરડવાના 35 થી 40 નોંધાઈ રહ્યા છે. 

ડિંડોલીમાંથી 6 વર્ષીય બાળકને તાત્કાલી સારવાર અર્થે ખસેડાયો
ડિંડોલી  વિસ્તારમાં શ્રીનાથ નગરમાં 6 વર્ષીય પૃથ્વીરાજ અમરેશ ચૌહાણ ઘર પાસે રમી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક બે શ્વાને બાળક પર હુમલો કર્યો હતો અને શરીરે બચકા ભર્યા હતા.  બાળક દ્વારા બુમાબુમ કરતા તેની માતા તેમજ પાડોશીઓએ દોડી આવી શ્વાનની ચૂંગાલમાંથી છોડાવી તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

વધુ વાંચોઃ હરણી લેક દુર્ઘટના: પૂછપરછમાં ભાગીદારોના નિવેદનથી વધુ એક ઘટસ્ફોટ, જુઓ પૈસા બચાવવા કેવું ષડયંત્ર રચ્યું?

જૂના ડોઝ લેવા માટે પણ રોજ લોકો આવે છે
આ બાબતે સિવિલ હોસ્પિટલનાં નર્સે જણાવ્યું હતું કે, હાલમાં રોજના 35 થી 40 નવા કેસ નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ જૂના ડોઝ લેવા માટે પણ રોજના 55 થી 60 લોકો આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ