બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુરુવારે કરો આ ઉપાયો, પૈસાની સમસ્યાઓથી લઈને નેગેટિવ એનર્જી થશે દૂર!

ધર્મ / ગુરુવારે કરો આ ઉપાયો, પૈસાની સમસ્યાઓથી લઈને નેગેટિવ એનર્જી થશે દૂર!

Nirav Kumar

Last Updated: 08:07 AM, 25 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારનો દિવસ વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ દિવસે તેમને પ્રસન્ન કરવા માટે તમેં તુલસી સંબંધિત અમુક ઉપાય કરી શકો છો. તેનાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

હિન્દુ ધર્મમાં ગુરુવારને વિષ્ણુ ભગવાનને સમર્પિત વાર માનવામાં આવે છે. સમગ્ર સૃષ્ટીના પાલનહાર વિષ્ણુ દેવને તુલસી અતિ પ્રિય છે. આથી ગુરુવારના રોજ તુલસીની મંજરી (કળી)ઓ સાથે જોડાયેલ અમુક ઉપાય કરવામાં આવે તો વિષ્ણુ ભગવાનની કૃપા તમારી ઉપર રહે છે. આ ઉપાય ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે. તમે આ ઉપાય ગુરુવાર તેમજ શુક્રવારે પણ કરી શકો છો. ચાલો તે ઉપાય વિષે જાણીએ.

  • સમસ્યાઓ થશે દુર
    ગુરુવારે સવારે વહેલા ઉઠો, સ્નાન કરીને પછી પીળા વસ્ત્ર પહેરો. ત્યાર બાદ વિષ્ણુ ભગવાનની વિધિ વિધાન સાથે પૂજા કરો. ભગવાનને હળદર અને તુલસીની મંજરી (કળી)ઓ અર્પણ કરો. આ સાથે "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો 108 વખત જાપ કરો. આમ કરવાથી જીવનની સમસ્યાઓ દુર થાય છે.  
  • નાણાકીય સમસ્યાઓથી રાહત
    જો તમે આર્થિક સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોવ તો ગુરુવારે તુલસીની કળીઓનો આ ઉપાય કારગર નીવડી શકે છે. એના માટે ગુરુવારે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજા દરમિયાન ચઢાવવામાં આવેલી મંજરી (કળી)ને લાલ કે પીળા કપડામાં બાંધો અને તેને તમારી પૈસા રાખવાની જગ્યા અથવા તિજોરીમાં મૂકો. આ ઉપાયથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે.

વધુ વાંચો : જીવનમાં પૈસાની તંગી દૂર થશે, નવરાત્રિ દરમિયાન અજમાવો આ સરળ વાસ્તુ ઉપાયો

  • નકારાત્મક ઉર્જા દૂર થશે
    જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વ્યાપ્ત હોય તો તમે તુલસીની કળીઓ સંબંધિત આ ઉપાય કરી શકો છો. એના માટે એક લોટા જળમાં થોડું ગંગાજળ અને તુલસીની મંજરી (કળી) ઉમેરો. સવારે સ્નાન કર્યા બાદ આ પાણીના ઘરમાં અમી છાંટણા કરો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Vishnu Tulsi Upay Thursday Remedy
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ