બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્યાસ્ત બાદ કોઈને ન આપો પૈસા ઉછીના, નહીં તો ઘરમાંથી છીનવાઈ જશે સમૃદ્ધિ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / સૂર્યાસ્ત બાદ કોઈને ન આપો પૈસા ઉછીના, નહીં તો ઘરમાંથી છીનવાઈ જશે સમૃદ્ધિ

Last Updated: 04:56 PM, 9 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સૂર્યાસ્ત બાદ પૈસા ઉધાર આપવા, ઝાડુ લગાવવા કે સૂવા જેવા કામો વાસ્તુ અને ધાર્મિક માન્યતા મુજબ અશુભ ગણાય છે. આ સમયે સકારાત્મક કાર્યો કરીને લક્ષ્મી માતાનો આશીર્વાદ જાળવવો જોઈએ.

1/6

photoStories-logo

1. સૂર્યાસ્ત

હિંદુ ધર્મમાં સૂર્યાસ્તનો સમય ગોધૂલિ બેલા કહેવાય છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ સમયે કેટલાક કામો ભૂલથી પણ ન કરવા જોઈએ. આ વર્જિત કાર્યો કરવાથી વ્યક્તિ પર નકારાત્મક અસર પડે છે અને જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. વાસ્તુ અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં. માન્યતા છે કે સાંજે પૈસાનું લેન-દેન કરવાથી ઘરમાં બરકત અને સમૃદ્ધિ ઘટે છે. ક્યારેક તો જીવનમાં ધનની અછત પણ અનુભવવી પડે છે. પણ શા માટે સૂર્યાસ્ત પછી પૈસા ઉધાર ન આપવા? ચાલો જાણીએ તેની પાછળની વાત.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સાંજે પૈસા ઉધાર કેમ ન આપવા?

ધાર્મિક માન્યતા અનુસાર સાંજના સમયે ધનની દેવી લક્ષ્મી માતા ભ્રમણ કરવા નીકળે છે અને લોકોના ઘરમાં પ્રવેશ કરે છે. આ સમયે જો તમે પૈસાનું લેન-દેન કરો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં વાસ કરતી નથી. એટલે જ સૂર્યાસ્ત બાદ કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. નકારાત્મક ઊર્જા

સૂર્યાસ્ત પછી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. આ સમયે પૈસાનું વ્યવહાર કરવાથી જીવનમાં વિવાદ કે છેતરપિંડી જેવી સમસ્યાઓ આવી શકે છે. તેથી સાંજે કોઈને પૈસા ઉધાર ન આપો. એવું પણ માનવામાં આવે છે કે સાંજે આપેલા પૈસા લાંબા સમય સુધી અટકી જાય છે અને સહેલાઈથી પાછા મળતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૂર્યાસ્ત પછી આ કામો પણ ન કરો

સૂર્યાસ્ત પછી ઘરમાં ઝાડુ કે પોછો ન લગાવો. વાસ્તુ પ્રમાણે આ કરવાથી લક્ષ્મી માતાનું આગમન થતું નથી અને સુખ-શાંતિમાં ખામી આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પાંદડા પણ ન તોડો

સૂર્યાસ્ત પછી વૃક્ષ-છોડને હાથ ન લગાડો અને પાંદડા પણ ન તોડો. આથી વાસ્તુ દોષ ઊભો થાય છે જેનો અસર જીવન પર પડે છે. સાંજે સૂવાનું પણ ટાળો. વાસ્તુ અનુસાર આ સમયે સૂવાથી આળસ અને દારિદ્ર્ય આવે છે. આ સમય પૂજા-અર્ચના માટે શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra evening lend money
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ