એલિયન્સને લઇને જાત જાતના દાવા થાય છે અને તેમને લઇને લોકોને ઘણી જ ઉત્સુકતા જોવા મળે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ ગ્રહ પર એલિયન હોવાની સંભાવનાને નકારી શકાય નહી.
એલિયન્સ મળ્યા હોવાનો દાવો
આ પ્લેનેટ પર વસે છે એલિયન્સ
વૈજ્ઞાનિકોના રિસર્ચમાં આવ્યુ સત્ય બહાર
સતત આ દિશામાં રિસર્ચ કરી રહેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વાસ્તવમાં એલિયન્સ હોય છે. તેઓ એક ગ્રહ પર હોવાની સંભાવનાઓ વધી રહી છે.
Mathematical Model બનાવ્યું
એક રિપોર્ટ પ્રમાણે વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં કહ્યું કે તેઓ Rogue Planetsમાં હોઇ શકે છે. વૈજ્ઞાનિકોએ એક Mathematical Model બનાવ્યું જેના આધાર પર આ રિઝલ્ટ આવ્યું કે કેટલાક Exomoonsમાં પાણી સાથે વાતાવરણ અનુકુળ કંડીશન હોઇ શકે છે.
શું હોય છે Rogue Planets?
જે ગ્રહ પર કોઇ તારો નથી હોતો અને તે એકલો જ બ્રહ્માંડમાં ભટકતા રહે છે તેને Rogue Planets કહેવામાં આવે છે. તેને દુષ્ટગ્રહ પણ કહેવામાં આવે છે. તેમાં એક પણ તારો હોતો નથી માટે તેનો કોઇ ઉષ્મા સોર્સ પણ હોતો નથી. દુષ્ટ ગ્રહ પર ગુરુત્વાકર્ષણ પ્રભાવ પાણી અને વાતાવરણ પર્યાપ્ત પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે.
આ છે વૈજ્ઞાનિકોની થિયરી
વૈજ્ઞાનિકોએ કહ્યું કે, દરેક જીવને સર્વાઇવ કરવા માટે પ્રકાશની જરૂર હોતી નથી. જો કે પૃથ્વી પોતાની સંપૂર્ણ ઉર્જા સૂર્યથી પ્રાપ્ત કરે છે. સમુદ્રના ઉંડાણમાં પણ એક સૃષ્ટિ છે જે પૃથ્વી દ્વારા મળતી ઉર્જાથી ચાલે છે. કારણકે સૂર્યના કિરણ ત્યાં સુધી પહોંચી શકતા નથી. વૈજ્ઞાનિકો માને છે કે દુષ્ટ ગ્રહ પર એલિયન હોઇ શકે છે.