બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Priyakant
Last Updated: 04:45 PM, 14 February 2023
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઈને ફરી એકવાર મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. પુલવામા હુમલાની ચોથી વરસી પર તેમણે શહીદ થયેલા જવાનોને યાદ કરીને ટ્વિટ કર્યું છે. આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું છે. દિગ્વિજય સિંહે પોતાના ટ્વિટમાં કહ્યું, “આજે અમે 40 CRPF શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેઓ ગુપ્તચર નિષ્ફળતાને કારણે શહીદ થયા હતા.
શિવરાજ સરકારના મંત્રી નરોત્તમ મિશ્રાએ દિગ્વિજય પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, સેના પર આવા નિવેદનો કરવા કોંગ્રેસની આદત બની ગઈ છે. નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, તેમનું ટ્વીટ જોઈને એવું લાગે છે કે, આઈએસઆઈમાંથી કોઈએ ટ્વીટ કર્યું છે. તેમણે વધુમાં કહ્યું, તમે ભારતમાતાની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનારાઓને પણ ટોણો મારવામાં નિષ્ફળ જતા નથી. મને લાગે છે કે કોંગ્રેસની આદત બની ગઈ છે... સેના પર આવા નિવેદનો કરીને તેમનું મનોબળ તોડવું.
Today we pay homage to the 40 CRPF Martyrs who died because of the blatant Intelligence Failure in Pulwama.
— digvijaya singh (@digvijaya_28) February 14, 2023
I hope all the Martyred Families have been suitably rehabilitated.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કર્યા પ્રહાર
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ દિગ્વાજિયા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દિગ્વિજય દેશનું અપમાન કરે છે, એવું લાગે છે કે તેમની બુદ્ધિ નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું, મને લાગે છે કે દિગ્વિજયજીની બુદ્ધિ નિષ્ફળ ગઈ છે, તે તેમની નિષ્ફળતા છે. તેઓ દેશની સેનાનું અપમાન કરે છે. દિગ્વિજય સિંહ અને કોંગ્રેસ પાર્ટીના ડીએનએની તપાસ થવી જોઈએ, જે ભારતને એક કરવાના નામે તોડનારાઓ સાથે પ્રવાસ કરે છે. સોનિયા જી અને રાહુલજીએ આનો જવાબ આપવો જોઈએ.
मुझे लगता है कि दिग्विजय जी की बुद्धि फेल हो गई है, यह उसका फेलियर है। वे देश की सेना का अपमान करते हैं।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) February 14, 2023
जांच दिग्विजय सिंह और कांग्रेस पार्टी के डीएनए की होनी चाहिये, जो भारत जोड़ने के नाम पर तोड़ने वालों के साथ यात्रा करती है। सोनिया जी और राहुल जी को इसका जवाब देना चाहिये। pic.twitter.com/Aa1UPyrL3D
દિગ્વિજય પાકિસ્તાનની ભાષા બોલે છે
આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, દિગ્વિજય પાકિસ્તાનની ભાષા બોલે છે અને સેનાનું મનોબળ ડાઉન કરવાનો પ્રયાસ કરે છે. તેમની તપાસ થવી જોઈએ. જે પોતાના મનમાં દેશ અને સેના વિરુદ્ધ બોલવાનું બીજ વાવે છે. આ વિચિત્ર છે, એક પાર્ટીનો નેતા સતત સેનાની દેશભક્તિ અને બહાદુરી પર સવાલ ઉઠાવી અને પાકિસ્તાનની ભાષા બોલી રહી છે. જણાવી દઈએ કે, આ પહેલા પણ દિગ્વિજય સિંહ પુલવામા હુમલા પર નિવેદન આપીને ચર્ચામાં આવ્યા હતા. તેમણે સર્જિકલ સ્ટ્રાઈકને લઈને પણ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime