બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
સુગરને ઓછી કરે તેવી ચીજો રોજબરોજના ડાયેટમાં સામેલ કરવી જરુરી હોય છે. આંબાના પાન પણ તેમાંના એક છે. તેમાં એવા તત્વો છે જે લાહીમાં સુગરનું પ્રમાણ ઓછું કરવામાં મદદરુપ થાય છે. આંબાના પાન પર અનેક સંશોધનો થયા છે. આંબાના પાનમાં રહેલું મેન્ગીફેરિન આપણા શરીરમાં બનતા આલ્ફા ગ્લુકોસાઇડેસ એન્ઝાઇમ પર અસર કરે છે. જેનાથી આંતરડામાં કાર્બોહાઇડ્રેટસનુ મેટાબોલિઝમ ધીમું પડે છે. આંબાના પાન શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે.
આંબાના પાનમાં પેકટિન,વિટામિન સી અને ફાઇબર પણ સારા એવા પ્રમાણમાં હોય છે. જે ડાયાબિટિશ ઉપરાંત કોલેસ્ટરોલમાં પણ ફાયદાકારક છે. પરંતુ આંબાના પાનનો ફાયદો લેવો કેવી રીતે? તે ફળ કે શાકભાજી નથી કે તેને રાંધીને કે કાચા ખાઇ શકાય. સંશોધકો કહે છે કે તમે તેનો સાદી રીતથી ઉપયોગ કરી શકો છો. 10થી 15 પાનને પાણીમાં સારી રીતે ઉકાળીને તેને આખી રાત માટે રહેવા દો.
ADVERTISEMENT
સવારે ઉઠીને નરણાકોઠે આ પાણી ગાળીને પી જાવ. આ પ્રયોગ થોડા મહિના સતત કરવાથી ડાયાબિટિશમાં તેનો ઘણો ફાયદો થાય છે. અલબત્ આ પ્રયોગ કરતી વખતે ડોકટરની સલાહ મુજબની દવા બંધ કરવાની ભુલ કયારેય પણ ન કરવી જોઇએ અને સુગર લેવલ પણ સતત ચેક કરતા રહેવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.