બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 10:59 PM, 27 May 2023
ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ જયંત પંડ્યાએ ફરી એકવાર પડકાર ફેંક્યો છે. સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે અને જો એ સાચા હોય તો અમારી ચેલેન્જ સ્વીકારે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ એવુ પણ જણાવ્યું હતું કે તે લોકોને પાગલ કહે છે તેમ છતાં લોકો જાય છે. જે ગંભીર બાબત કહેવાય!
કાયદો વ્યવસ્થા જોખમાવવાની ભીતિ
દિવ્ય દરબારમાં રાજકોટની વિજ્ઞાન જાથા નામની સંસ્થાએ હાજરી આપી ધીરેન્દ્ર શસ્ત્રીને સવાલો કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાતો હોવાથી જાથાના જયંત પડ્યાં સુરત જઈ રહ્યા હતા. આ વેળાએ તારાપુર ચોકડી આગળ પહોંચતા જ કાયદો વ્યવસ્થા જોખમાવવાની ભીતિ હોવાથી તમને આ પ્રસંગમાં હાજરી આપવા જવા દેવામાં આવશે નહીં તેવું કહી પોલીસે તેઓને અટકાવ્યા હતા. જ્યા વિજ્ઞાન જાથાને કાં તો પરત ફરવા અથવા તો સાંજ સુધી અટકાયતમાં રાખવાનું પોલીસે જણાવ્યું હતું આથી જયંતીભાઈ પોતાને ટીમ સાથે રાજકોટ પરત ફર્યા હતા.
1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં દરબાર
1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર યોજશે. ત્યારે આ મામલે વિજ્ઞાન જાથાના જયંતભાઈએ જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી પરચી અને પરચા થકી લોકોને ઉલ્લુ બનાવે છે જેની સામે અમારો સખ્ત વિરોધ અને વાંધો છે.આ ષડયંત્રનો ભાગ છે. માઈન્ડ રોડિંગ મારફતે અમુક વસ્તુ શક્ય છે પરંતુ આ ભ્રમિત વાત હોવાનો જાથાએ દાવો કર્યો હતો. સાથે સાથે તેઓએ કહ્યું કે રાજકોટના કાર્યક્રમમાં અમારા 50 કાર્યકર્તાઓ હશે અને રાજકોટના દરબારમાં પણ વિરોધ કરવામાં આવશે બે દિવસ પહેલાથી જ અમારા વિરોધના કાર્યક્રમો શરૂ રહેશે તેમ અંતમાં જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime