બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:42 AM, 15 February 2026
Mahashivratri 2026: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીન પર્વનું સવિશેષ મહત્ત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર આ પર્વ દરેક વર્ષે મહા મહિનાની વદ તેરસની તિથી પર ઉજવાય છે. ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે મહાદેવ અને પાર્વતીના વિવાહ સંપન્ન થયા હતા. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવજીણી રાતે પૂજા-પાઠ, જપ, તપ અને ધાર્મિક અનુષ્ઠાન કરવાથી અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં આ દિવસે પૂજા અને ઉપાય કરવા ખૂબ શુભ અને લાભકરી સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે આજે એટલે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે કયા કયા ઉપાય કરવાથી લાભ મળશે.
ADVERTISEMENT
ભોળાનાથને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. બીલીપત્ર વિના શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. એવામાં આજે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર બીલીપત્ર ખાસ અર્પણ કરવા જોઈએ. જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને આવકના નવા સ્ત્રોત્ર પર ખુલશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહાશિવરાત્રી પર કરિયરમાં સફળતા અને ઉન્નતિ પ્રાપ્ત કરવા માટે શિવલિંગ પર 5 પ્રકારના ફળ જરૂર અર્પણ કરવા જોઈએ. આ પાંચ ફળો છે - ધતૂરો, બિલી, બોર, કેળાં અને સફરજન. આનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

ADVERTISEMENT
મહાશિવરાત્રી પર શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવું એ ખૂબ શુભ અને સારું માનવામાં આવે છે. આનાથી સ્વાસ્થ્ય સારું રહે છે અનેદાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મહાશિવરાત્રી પર સવારે અને સાંજે શંકર ભગવાનના મંદિરે જઈને ભોળાનાથને કપૂર અને લવિંગ નાખીને દીવો અપરોન કરો. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે.

માનસિક શાંતિ અને ડરને દૂર કરવા માટે મહાશિવરાત્રીની રાતે 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ અકરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત મહાશિવરાત્રી પર સંપૂર્ણ વિધિ-વિધાન સાથે રુદ્રાક્ષને ધારણ કરવો પન ખૂબ શુભ સાબિત થશે. આનાથી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે.
(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.