બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું તમે જાણો છો કે હોલિકા દહનની રાખ માથે કેમ લગાવાય છે? સમજો તેની પાછળનું ધાર્મિક મહત્વ

Holi 2026 / શું તમે જાણો છો કે હોલિકા દહનની રાખ માથે કેમ લગાવાય છે? સમજો તેની પાછળનું ધાર્મિક મહત્વ

Priyankka Triveddi

Last Updated: 12:36 PM, 26 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હોળીકા દહન એ માત્ર ખોટા પર સાચાની જીતનું પ્રતિક છે એટલું જ નહિ પણ તેની સાથે ઘણી ધમરીક માન્યતા અને પરંપરા પણ જોડાયેલી છે. જેમાંની એક છે હોલિકા દહનની રાખને માથે લગાવવી અને ઘરમાં સુરક્ષિત રાખવી. ચાલો જાણીએ આના ધાર્મિક મહત્ત્વ અને સાચી વિધિ વિશે.

Holi Dahan Tips: રંગોના તહેવાર હોળી ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો જ બચ્યા છે. પંચાંગ અનુસાર વર્ષ 2026 માં હોલિકા દહન 2 માર્ચના રોજ કરવામાં આવશે. સનાતન ધર્મમાં હોલિકાની અગ્નિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પંરતુ શું તમે જાણો છો કે આ હોલિકા દહનની રાખ એટલે કે ભસ્મ પણ એટલી જ ચમત્કારી હોય છે. ધાર્મિક માન્યતા અનુસાર હોળીની રાખને માથે લગાવવાથી અને ઘરમાં યોગ્ય જગ્યાએ રાખવાથી જીવનના કષ્ટ દૂર થાય છે. ચાલો જાણીએ આ આ વર્ષના હોલિકા દહનના સાચા મુહૂર્ત અને રાખના ઉપાય.

Holika

હોલિકાની રાખને માથે કેમ લગાવવામાં આવે છે?

ધાર્મિક માન્યતા અનુસાર હોલિકા દહનની ભસ્મમાં નકારાત્મક શક્તિ અને નેગેટિવ એનર્જી બળીને રાખ થઈ જાય છે. એવામાં એની રાખને શુભ અને શુદ્ધ માનવામાં આવે છે. તેને માથે લગાવવા પાછળ અમુક માન્યતાઓ પણ છે.

  • તે ખરાબ નજર અને નેગેટિવ એનર્જી સામે રક્ષણ આપે છે.
  • ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
  • રોગ અને સંકટમાં બચાવનું પ્રતિક માનવામાં આવે છે.
  • તેને લગાવવાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે.

હોલિકાની રાખ ઘરમાં ક્યાં રાખવી?

જો તમે હોલિકાની રાખ ઘરમાં લાવો છો તો તેને સાચી જગ્યાએ મૂકવી ખૂબ જરૂરી છે. માન્યતા અનુસાર રાખને કોઈ ખાલી ડબ્બા કે લાલ કપડામાં બાંધીને પૂજાના સ્થળે રાખવી જોઈએ. આને તિજોરી કે પૈસા મુક્ત હોય એ જગ્યાએ પણ રાખી શકો છો. જેનાથી આર્થિક સમૃદ્ધિ આવે છે. થોડી રાખ દરવાજા પર છાંટવાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. હોળી દહન પછી અગ્નિ ઠંડી થયા બાદ થોડી રાખ રાખી લો. બીજા દિવસે સ્નાન કરીને જમણા હાથે અનામિકા આંગળીથી માથે તિલક કરો. આ તિલક કરતી વખતે ભગવાન વિષ્ણુ કે તમારા ઇષ્ટદેવનું સ્મરણ કરો.

આ પણ વાંચો: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે આ 5 ફેંગશુઇ ટિપ્સ, ધ્યાન રાખશો તો બની રહેશે સુખ-સમૃદ્ધિ

Vtv App Promotion 2

હોળી દહનનું પૌરાણિક મહત્ત્વ

હોલિકા દહનની કથા ભક્ત પ્રહલાદ અને તેના પિતા હિરણ્યકશ્યપ સાથે જોડાયેલી છે. જ્યારે હિરણ્યકશ્યપએ પોતાના પુત્ર પ્રહલાદને ભગવાનની પૂજા કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેની બહેન હોલિકાને અગ્નિમાં બેસાડી. જોકે ભગવાનની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા બળીને રાખ થઈ ગઈ. આ ઘટનાને દુષ્ટતા પર સારા અને અહંકાર પર શ્રદ્ધાના વિજય તરીકે જોવામાં આવે છે. તેથી હોલિકા દહનની અગ્નિને પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Holika Dahan 2026 Holi Festival Rituals
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ