બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / એક-બે નહીં, ધનતેરસ પર સોનું ખરીદવાના છે ત્રણ-ત્રણ શુભ મુહૂર્ત, સમય નોટ કરી લેજો

ધનતેરસ 2025 / એક-બે નહીં, ધનતેરસ પર સોનું ખરીદવાના છે ત્રણ-ત્રણ શુભ મુહૂર્ત, સમય નોટ કરી લેજો

Priyankka Triveddi

Last Updated: 09:28 AM, 15 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhanteras Gold Muhurat: અગિયારસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ જશે. આ પ્રકાશપર્વમાં ધનતેરસના દિવસે સોના, ચાંદીની વસ્તુઓની ખરીદી શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિ, માં લક્ષ્મી અને ભગવાન કુબેરની ખાસ પૂજા કરવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ આ ધનતેરસ પર સોનું ખરીદવાના શુભ મુહૂર્ત વિશે.

Dhanteras Gold Muhurat: અગિયારસ સાથે દિવાળીના પર્વની શરૂઆત થઈ જશે ત્યારે ધનતેરસ એ લક્ષ્મી અને કુબેરની પૂજા માટેનો ખાસ તહેવાર છે. ધનતેરસ આસો મહિનાની વદ તેરસની તિથીએ આવે છે. અને આ વર્ષે ધનતેરસ 18 ઓકટોબર 2025ના રોજ ઉજવાશે. આ દિવસે આયુર્વેદના દેવ ધન્વંતરિ, માં લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે સોના, ચાંદી કે વાસણોની ખરીદી માટે શુભ દિવસ માનવામાં આવે છે. જો તમે પણ આ ધનતેરસ પર સોનું કે ચાંદી ખરીદવા માંગો છો તો જાણી લો ખરીદીના શુભ મુહૂર્ત વિશે.

Diwali-puja

ધનતેરસનું મહત્વ

ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ, કુબેર અને ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, તેથી તેને ધનતેરસ અથવા ધનત્રયોદશી કહેવામાં આવે છે.

ધનતેરસના શુભ મુહૂર્ત:

  • સોના માટે મુહૂર્ત:

ધનતેરસ પર સોનું ખરીદવા માટે અમૃત કાળ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. 18 ઓક્ટોબરે અમૃત કાળ સવારે 8:50 થી 10:33 સુધી રહેશે. ધાર્મિક માન્યતા છે કે આ સમય દરમિયાન સોનું અને ચાંદી ખરીદવાથી ધન વધે છે.

સોનું ખરીદવાનું શુભ મુહૂર્ત - સવારે 8:50 થી 10:33 સુધી

  • પૂજા માટે મુહૂર્ત:

ધનતેરસ પર ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો શુભ મુહૂર્ત પ્રદોષ કાળ છે. તે 18 ઓક્ટોબરના રોજ સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી છે. આ સમય દરમિયાન, તમે ભગવાન ધન્વંતરીની પૂજા કરી શકો છો.

પૂજાનું મુહૂર્ત : સાંજે 7:16 થી 8:20 સુધી

ખરીદી માટે શુભ મુહૂર્ત

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનતેરસ પર ખરીદી માટે ત્રણ શુભ સમય છે.

  • પહેલું મુહૂર્ત : સવારે 8:50 થી 10:33 સુધી
  • બીજું મુહૂર્ત: સવારે 11:43 થી 12:28 સુધી
  • ત્રીજું મુહૂર્ત: સાંજે 7:16 થી 8:20 સુધી

વધુ વાંચો: દિવાળી બાદ મંગળ ગોચર કરશે માલામાલ, ફાવી જશે આ રાશિના જાતકો

vtv app promotion

લક્ષ્મીજીની મૂર્તિ

Lakshmi

ધનતેરસના દિવસે ચાંદી અથવા માટીના લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદો.મૂર્તિ ખરીદીને પૂજા કરો. ધ્યાન રાખો કે મૂર્તિની ઊંચાઈ અંગૂઠા જેટલી હોવી જોઈએ. પૂજા કર્યા બાદ આ મૂર્તિઓને તિજોરી અથવા કબાટમાં મૂકી દો.

(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2025 Dharma Dhanteras Muhurt
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ