બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:57 PM, 17 June 2025
આવી દુર્ઘટનાઓ બાદ સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ અને આગાહી વીડિયોને પગલે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પર હાલ કેટલાક વીડિયોઝ વાઈરલ છે, જેમાં આગામી 6 મહિનાની જુદી જુદી તારીખો દર્શાવાઈ છે. જે તારીખોએ ટ્રાવેલ ન કરવા માટે આ વાઈરલ વીડિયોમાં અપીલ કરાઈ છે. પરંતુ આ આગાહીઓ પાછળ કેટલું સત્ય છે? શું ખરેખર એ તારીખો ખતરનાક છે? આવો, આ અંગે જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો શું કહે છે તે અમે તમને જણાવીશું . તમે પણ લગભગ આ વાઈરલ વીડિયો જોયો જ હશે. ન જોયો હોય તો પહેલા નીચે રહેલો વીડિયો જોઈ લો
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વાઈરલ વીડિયોમાં કહેવાયું છે કે 2025ના કેટલાક નિશ્ચિત દિવસો મુસાફરી માટે ખતરનાક છે, કારણ કે તે દિવસો 9 નંબર સાથે સંકળાયેલા છે. જ્યોતિષશાસ્ત્રી સોનલ ધામીએ જણાંવ્યું કે,"9નો અંક મંગળનો અંક છે અને મંગળ ગ્રહ યુદ્ધ, દુર્ઘટના અને આગ જેવી પરિસ્થિતિઓનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે મંગળ ગ્રહની ઊર્જા ખૂબ જ તીવ્ર છે. જેના કારણે જંગલમાં આગ લાગવાની ઘટનાઓ, મોટાં વાહન અકસ્માતો, ભૂકંપ, વધતો તાણ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે."

ADVERTISEMENT
નિષ્ણાત જ્યોતિષ સોનલબેનના કહેવા પ્રમાણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં કેટલીક તારીખો વધારે જોખમી ગણાવવામાં આવી છે. જેમ કે જુલાઈની 2, 11, 20, 29; ઓગસ્ટની 1, 10, 19, 28; સપ્ટેમ્બરની 9, 18, 27; ઑક્ટોબરની 8, 17, 26; નવેમ્બરની 7, 16, 25; અને ડિસેમ્બરની6, 15, 24. આ તમામ તારીખોનો મહિના સાથે સરવાળો 9 થાય છે, જેમ કે જુલાઈ 2 એટલે 2 + 7 = 9. આ અંગે સોનલ ધામીનું કહેવું છે કે આવી તારીખો સામાન્ય રીતે લોકોને ચેતવણીરૂપ છે, પરંતુ દરેક વ્યક્તિ પર તેની અલગ અસર થાય છે કારણ કે દરેક માટે 9 નંબર હંમેશા ખરાબ હોવો જરૂરી નથી. કેટલીક વ્યક્તિઓ માટે તે શુભ પણ બની શકે છે.

ADVERTISEMENT
તો અન્ય એક જ્યોતિષી અંકિત શાહનું કહેવું છે કે'ગ્રહો અને નક્ષત્રોની અસર વ્યક્તિગત રાશિ પર પડે છે, સમગ્ર દેશ કે દુનિયા પર નહીં. તેથી આવી તારીખોને લઈને ભયમાં આવવું કે મુસાફરી અટકાવવી યોગ્ય નથી' તેમણે વધુમાં જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર વિશે પણ ઘણી ગેરસમજો પ્રચલિત છે. ઘણા લોકો એવું માને છે કે જ્યોતિષશાસ્ત્ર ભવિષ્ય વિશે ચોક્કસ આગાહી કરી શકે છે પણ સત્યમાં ભવિષ્ય વિશે સંપૂર્ણ ખાતરીથી કશું કહેવું મુશ્કેલ છે.

ADVERTISEMENT
આ પણ વાંચો : ઘરમાં વધી રહ્યા છે ઝધડા, તો નકારાત્મક ઉર્જાને દૂર કરવા અપનાવો કપૂરનો આ ઉપાય
જ્યોતિષશાસ્ત્ર વિવિધ ગ્રહો, નક્ષત્રો અને ભાગલિક ચાર્ટના આધારે અંદાજ લગાવે છે, પણ બધાં સંકેતો હંમેશા સ્પષ્ટ ન હોવાના કારણે ચોક્કસ અનુમાન શક્ય નથી. ઘણા સંતો-મહાત્માઓ છઠ્ઠી ઇન્દ્રિયના આધારે આગાહી કરે છે, જે જ્યોતિષની પદ્ધતિઓથી અલગ હોય છે. તેથી, આવા વાયરલ વીડિયોને લઈને લોકોમાં ભય ન ફેલાવો અને સત્ય શું છે તે સમજવું જરૂરી છે. આવું અનુમાન જનરલ હોય છે, એ સાચું પણ હોય શકે અને ખોટું પણ. આથી, કોઈ પણ તારીખ કે અફવા પર વિશ્વાસ કર્યા વગર, શાંતિથી વિચાર કરવો જોઈએ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે સાવચેતી રાખવી જોઈએ. મુસાફરી કે દિવસો કે તારીખો પર નહિ, પરંતુ પોતાની સાવચેત સાથે પ્લેન કરવું જોઇએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.