બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / devoleena bhattacharya pain spilled over countinues trolling on married with muslim

ના હોય! / 'મેં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા એટલે...', ટીવીની ગોપી વહુ કેમ થઈ ઈમોશનલ?

Arohi

Last Updated: 02:21 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Devoleena Bhattacharjee: દેવોલીના ભટ્ટાચાર્જીએ ટીવી શોઝ દ્વારા દર્શકોની વચ્ચે પોતાની એક અલગ છવી બનાવી છે. મોટાભાગે તે પોતાની વાતોને લોકો સામે ખુલીને મુકે છે. લગ્ન બાદથી સતત લોકો તેને 'લવ જીહાદ'ના નામ પર ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલિંગ પર તેનું દુઃખ ઘણી વખત છલકાયું છે.

  • ટ્રોલિંગ પર છલકાયુ દેવોલીનાનું દુખ
  • ટીવીની ગોપી વહુ કેમ થઈ ઈમોશનલ?
  • કહ્યું- મેં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા એટલે...

દેવોલીના ભટ્ટાચાર્જી ટીવીની એ એક્ટ્રેસ છે જે પોતાના લગ્ન બાદથી જ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સે ધર્મને નિશાનો બનાવીને તેમના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ છે. 'સાથ નિભાના સાથિયા'ની ગોપી વહુએ એક વખત ફરી આ મામલા પર પોતાના દિલની વાત કરતા ટ્રોલર્સને આડેહાથ લીધા છે. 

લવ જિહાદના નામ પર થઈ રહી છે ટ્રોલિંગ 
દેવોલીના ભટ્ટાચાર્જીએ ટીવી શોઝ દ્વારા દર્શકોના વચ્ચે પોતાની એક અલગ જ છવી બનાવી છે. મોટાભાગે તે પોતાની વાતોને ખુલીને લોકોની સામે મુકે છે. લગ્ન બાદથી સતત લોકો તેને લવ જીહાદના નામ પર ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલિંગ પર તેનું દુખ ફરી એક વખત છલકાયું છે. 

એક્ટ્રેસે જણાવ્યું મેં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. ત્યાં સુધી કોઈ મુશ્કેલી ન આવી. મને ન હતી ખબર કે લવ જીહાદ હકીકતે છે કે નહીં. જોકે જે ન્યૂઝ અને સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની વાત સામે આવી છે તેને અમે ઈગ્નોન પણ ન કરી શકીએ. અમે સેક્યુલર છીએ આપણે મળીને રહેવું જોઈએ અથવા બોલીને વસ્તુઓને દબાવવી ન શકાય.

દેવોલીનાને આવ્યો ગુસ્સો
દેવોલીનાએ કડક શબ્દોમાં કહ્યું છે કે નકલી જોડા પહેરીને જે ધર્મરક્ષક બની રહ્યા છે અને મને લવ જીહાદ કહીને ટ્રોલ કરી રહ્યા છે તેમાંથી 100 લોકોને પણ કહું ને કે મને તમે ગીતાનો એક અધ્યાય વાંચીને સંભળાવો. તો બોલતી બંધ થઈ જશે. 

તેણે આગળ કહ્યું કે, મને તો બન્ને કમ્યુનિટી ટ્રોલ કરે છે. માટે મારી સ્થિતિ તો વધારે ખરાબ છે. કારણ કે મેં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા છે. ત્યાં જ શહનવાઝની કમ્યુનિટી વાળા મને ટ્રોલ કરે છે કે હવે હું 'લવ જીહાદ' પર વાત કરૂ છું કે મંદિર જાઉ છું. 

ટ્રોલર્સને આડેહાથ લેતા દેબોલીનાએ કહ્યું, "આ મારૂ જીવન છે. મને ખબર છે કે હું શું કરી રહી છું. હું તમને આવીને નથી કહી રહી કે તમે આ રીતે જીવો. તો પછી મને ટ્રોલ કેમ કરવામાં આવી રહી છે. મંદિર કોઈની પર્સનલ પ્રોપર્ટી તો નથી જ્યાં હું જઈ ન શકું અને હકીકત તો એ છે કે મને જવાથી કોઈ ક્યારેય રોકી નથી શકતું." 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ