બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / મનોરંજન / બોલિવૂડ / devoleena bhattacharya pain spilled over countinues trolling on married with muslim
Arohi
Last Updated: 02:21 PM, 11 July 2023
દેવોલીના ભટ્ટાચાર્જી ટીવીની એ એક્ટ્રેસ છે જે પોતાના લગ્ન બાદથી જ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસે પોતાના મુસ્લિમ બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સે ધર્મને નિશાનો બનાવીને તેમના પર નિશાન સાધવાનું શરૂ કરી દીધુ છે. 'સાથ નિભાના સાથિયા'ની ગોપી વહુએ એક વખત ફરી આ મામલા પર પોતાના દિલની વાત કરતા ટ્રોલર્સને આડેહાથ લીધા છે.
લવ જિહાદના નામ પર થઈ રહી છે ટ્રોલિંગ
દેવોલીના ભટ્ટાચાર્જીએ ટીવી શોઝ દ્વારા દર્શકોના વચ્ચે પોતાની એક અલગ જ છવી બનાવી છે. મોટાભાગે તે પોતાની વાતોને ખુલીને લોકોની સામે મુકે છે. લગ્ન બાદથી સતત લોકો તેને લવ જીહાદના નામ પર ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલિંગ પર તેનું દુખ ફરી એક વખત છલકાયું છે.
એક્ટ્રેસે જણાવ્યું મેં એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. ત્યાં સુધી કોઈ મુશ્કેલી ન આવી. મને ન હતી ખબર કે લવ જીહાદ હકીકતે છે કે નહીં. જોકે જે ન્યૂઝ અને સોશિયલ મીડિયા દ્વારા આ પ્રકારની વાત સામે આવી છે તેને અમે ઈગ્નોન પણ ન કરી શકીએ. અમે સેક્યુલર છીએ આપણે મળીને રહેવું જોઈએ અથવા બોલીને વસ્તુઓને દબાવવી ન શકાય.
દેવોલીનાને આવ્યો ગુસ્સો
દેવોલીનાએ કડક શબ્દોમાં કહ્યું છે કે નકલી જોડા પહેરીને જે ધર્મરક્ષક બની રહ્યા છે અને મને લવ જીહાદ કહીને ટ્રોલ કરી રહ્યા છે તેમાંથી 100 લોકોને પણ કહું ને કે મને તમે ગીતાનો એક અધ્યાય વાંચીને સંભળાવો. તો બોલતી બંધ થઈ જશે.
તેણે આગળ કહ્યું કે, મને તો બન્ને કમ્યુનિટી ટ્રોલ કરે છે. માટે મારી સ્થિતિ તો વધારે ખરાબ છે. કારણ કે મેં મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા છે. ત્યાં જ શહનવાઝની કમ્યુનિટી વાળા મને ટ્રોલ કરે છે કે હવે હું 'લવ જીહાદ' પર વાત કરૂ છું કે મંદિર જાઉ છું.
ટ્રોલર્સને આડેહાથ લેતા દેબોલીનાએ કહ્યું, "આ મારૂ જીવન છે. મને ખબર છે કે હું શું કરી રહી છું. હું તમને આવીને નથી કહી રહી કે તમે આ રીતે જીવો. તો પછી મને ટ્રોલ કેમ કરવામાં આવી રહી છે. મંદિર કોઈની પર્સનલ પ્રોપર્ટી તો નથી જ્યાં હું જઈ ન શકું અને હકીકત તો એ છે કે મને જવાથી કોઈ ક્યારેય રોકી નથી શકતું."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime