બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 07:59 PM, 23 September 2023
આજના સમયમાં ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ સરળતાથી મળી રહે છે. અલગ અલગ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, આહારના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. અયોગ્ય ખાનપાનને કારણે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે.
રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, શુગર ડ્રિંક, પ્રોસેસ્ડ મીટ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટયુક્ત આહારનનું સેવન કરવાથી શરીરમાં સોજો આવે છે. આ પ્રકારના આહારનું સેવન કરવાથી લીવર ડેમેજ થઈ શકે છે. આ સોજાના કારણે ડિપ્રેશન સહિત અનેક સમસ્યા થઈ શકે છે. લીવરમાં ફેટ જમા થવા લાગે તો લિવર સેલ્સ ડેડ થઈ જાય છે, જે આંતરડામાં ફેલાઈ જતા સોજો આવે છે. જે બ્રેઈન સુધી ફેલાઈ શકે છે જેના કારણે ડિપ્રેશન થઈ શકે છે.
પોષકતત્ત્વોની ઊણપ
ઓમેગા-3 ફેટી એસિડ, વિટામીન બી અને એન્ટીઓક્સિડેન્ટ જેવા જરૂરી પોષકતત્ત્વોની ઊણપને કારણે બ્રેઈનની કાર્યપ્રણાલી પર અસર થઈ શકે છે. આ પોષકતત્ત્વ ન્યૂરોટ્રાંસમીટરના ઉત્પાદન અને મૂડના નિયમન માટે મહત્ત્વપૂર્ણ છે. આ પોષકતત્ત્વોની ઊણપને કારણે મૂડ ડિસઓર્ડર થઈ શકે છે.
ડિપ્રેશનમાં ફાયદાકારક ફૂડ-
ફળ અને શાકભાજી- ફળ અને શાકભાજીમાં ભરપૂર માત્રામાં વિટામીન, ખનિજ અને એન્ટીઓક્સિડેન્ટ રહેલા છે. આ પોષકતત્ત્વથી મૂડ સારો રહે છે.
આખુ અનાજ- આખા અનાજ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે અને મૂડને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
હેલ્ધી ફેટ- ઓમેગા-3 ફેટી એસિડ જેવી હેલ્ધી ફેટથી મૂડ સારો રહે છે. માછલી, નટ્સ અને બીજમાં ભરપૂર માત્રામાં હેલ્ધી ફેટ હોય છે.
પ્રોટીન- હેલ્ધી બ્રેઈન માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે. પર્યાપ્ત માત્રામાં પ્રોટીનનું સેવન કરવાથી મૂડ સારો રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime