બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 AM, 21 February 2025
Delhi CM Residence : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી પદે રેખા ગુપ્તાએ શપથગ્રહણ કર્યા છે. આ તરફ દિલ્હી સરકારમાં વિભાગોનું વિભાજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીની ખુરશી સંભાળ્યા પછી રેખા ગુપ્તાની કાર્યવાહી પણ દેખાઈ રહી છે. પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારત યોજના અને CAG રિપોર્ટને મંજૂરી આપવામાં આવી હતી. હવે દિલ્હીવાસીઓના મનમાં એક પ્રશ્ન છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તા ક્યાં રહેશે? તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, તે 'શીશમહલ'માં નહીં રહે. એક ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, તે શીશમહેલને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરશે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ક્યાં રહેશે તે અંગે વિચાર-વિમર્શ અને કામ શરૂ થઈ ગયું છે.
ADVERTISEMENT
દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાન માટે PWD એટલે કે જાહેર બાંધકામ વિભાગે ત્રણ વિકલ્પો પસંદ કર્યા છે. જો સૂત્રોનું માનીએ તો આમાંથી બે વૈભવી બંગલા મધ્ય દિલ્હીમાં DDU માર્ગ પર સ્થિત છે. દિલ્હી ભાજપ કાર્યાલય અને ભાજપનું રાષ્ટ્રીય મુખ્યાલય પણ અહીં સ્થિત છે. ત્રીજો બંગલો ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સમાં રાજપુર રોડ પર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સમારકામનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ પછી જ આ ત્રણેયને વિકલ્પો તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
PWDના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ બંગલા અમારા રહેણાંક પૂલમાંથી પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ તેને હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. આ વિકલ્પો નવા મુખ્યમંત્રીને બતાવવામાં આવશે. શક્ય છે કે તે પોતે આ બંગલા જોવા આવે અને જો તેને તે પસંદ આવે, તો તે એક બંગલા ફાઇનલ કરી શકે. આ પછી સામાન્ય વહીવટ વિભાગ (GAD) ની મંજૂરી પછી બંગલો ફાળવવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, તેમને ખબર નથી કે મુખ્યમંત્રી ક્યારે ઘરોને અંતિમ સ્વરૂપ આપશે.
હવે જાણો શું થશે શીશમહલનું ?
ADVERTISEMENT
વાસ્તવમાં થોડા સમય પહેલા ભાજપના નેતાઓએ એમ પણ કહ્યું હતું કે, દિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તા 6, ફ્લેગ સ્ટાફ રોડ પરના બંગલામાં રહેશે નહીં. આ એ જ બંગલો છે જેને ભાજપના લોકો શીશમહેલ કહે છે. આ અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન હતું, જેને ભાજપ 'શીશમહેલ' કહે છે. શપથ લેતા પહેલા CM રેખા ગુપ્તાએ પણ પુષ્ટિ આપી હતી કે, તેઓ 'શીશમહેલ' નહીં જાય. તે હાલમાં તેમના ગૃહ મતવિસ્તાર શાલીમાર બાગમાં તેમના ખાનગી નિવાસસ્થાનમાં રહે છે.
વધુ વાંચો : હળવા વરસાદ અને ભારે પવન ફૂંકવાની ચેતવણી, જાણો હવામાન વિભાગની આગાહી
ADVERTISEMENT
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ત્રણેય વિકલ્પો મુખ્યમંત્રીને આપવામાં આવેલી Z-શ્રેણી સુરક્ષા સાથે સુસંગત છે. જોકે શુક્રવારે તેની ફરી સમીક્ષા થઈ શકે છે. ભૂતપૂર્વ CM આતિશીને ઝેડ-કેટેગરીની સુરક્ષા હતી પરંતુ તેમને કોઈ પ્રોટોકોલનું પાલન કરવાની જરૂર નહોતી કારણ કે તેઓ તેમના ખાનગી નિવાસસ્થાને રોકાઈ રહ્યા હતા. અધિકારીઓના મતે મુખ્યમંત્રી નિવાસસ્થાન સામાન્ય રીતે જરૂરી સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ હોય છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં આપણને Z-કેટેગરી સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂર પડી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.