રાજ્યમાં પહેલેથી જ પાણીની અછતને કારણે ખેડૂતો,લોકો અને સરકારની ઉંઘ હરામ થયેલી છે...ત્યાં તો ખેંચાયેલા વરસાદે પણ તે ચિંતામાં ઉમેરો કર્યો..જો કે મોડા મોડા પણ આવેલા વરસાદે થોડી ઘણી આશા ખેડૂતો અને સરકારમાં જન્માવી તો છે..પરંતુ આ વરસાદ રાજ્યના ડેમ અને જળાશયો ભરશે કે કેમ તે તો આગામી સમયમાં જ ખ્યાલ આવશે...પરંતુ વાત જો અત્યારની કરીએ તો હાલમાં રાજ્યના 203 ડેમમાંથી 64 ડેમ હાલ પાણી વિહોણા છે.અને 70 ડેમમાં માત્ર 1 થી10 ટકા જેટલો જ પાણીનો જથ્થો રહેલો છે.ડેમમાં સરેરાશ પાણીની વાત કરીતો માત્ર 19.5 ટકા જ પાણીનો જથ્થો ડેમમાં ઉપલબ્ધ છે..એટલે કે હવે સમગ્ર દારોમદાર વરસાદ પર છે..જો કે આ સ્થિતિ તો દર વર્ષે ઉભી થતી જ આવી છે..પરંતુ તેમાંથી આપણે કંઈ શીખી શકતા નથી..સરકાર તો જળસંચય માટે કામગીરી કરી જ રહી છે..પણ અહીં લોકોની પણ એટલી જ જવાબદારી છે કે તે પાણીનો બગાડ ન કરે.અને વધુને વધુ પાણીનો સંચય કરે છે..ત્યારે અહીં સવાલ એ કે ઓછા વરસાદની સ્થિતિને કેવી રીતે પહોંચી વળશે સરકાર? અને આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન