બોટાદના રોજિદ ગામમાં ગત રોજ બનેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ નીપજ્યું છે.
બોટાદમાં લઠ્ઠાકાંડમાં તાંડવ મચાવતું મોત
બરવાળા CHCમાં એકનું મોત નિપજ્યું
અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે.જો કે,આજે આ લઠ્ઠાકાંડમાં વધુ 8 લોકોના મોત થતાં મૃતાંક વધીને 24 થઈ જવા પામ્યો છે. બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.
ભાવનગરમાં પણ સારવાર લઈ રહેલા લોકોના મૃત્યુ
તો વળી આ તરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકાર હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.જેમાં બરવાળા સીએચસી સેન્ટરમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બાકી લોકોનું મોત ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ઘટનાને પગલે SIT ની રચના કરવામાં આવી
આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે
બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું
બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો