બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ગુજરાત / વડોદરા / Death toll rises to 17 in Vadodara's Harani lake boat accident, 15 children and 2 teachers killed
Dinesh
Last Updated: 08:13 AM, 19 January 2024
Vadodara Harani lake boat incident: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં મોટી કરુણાંતિકા બની છે. હરણી તળાવમાં બોટ પલટી જતાં 17ના મોત થયા છે. જેમાં 15 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેને પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર મામલાની જાણકારી મળતાં ગુજરાતમાં ખળભળાટ મચ્યો હતો.
પોલીસ કાર્યવાહી
ઘટનાને પગલે મોડી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના માતાપિતાના આક્રંદથી સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું હતું. બીજી બાજુ રેસ્ક્યૂ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઇ ગયા હતા. તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારી અને સેફ્ટી નિયમોની ઐસીતૈસી કરાઇ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું. બીજી બાજુ ક્ષમતા કરતા વધારે લોકો બોટમાં બેસાડાતાં આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે. વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઇવરની ધરપકડ કરી છે. તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે 9 ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.
પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો
આ સમગ્ર મામલે ન્યુ સનરાઈઝ સ્કુલ બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સ્કૂલની નીચે રહેતા પ્રિન્સિપાલના મકાન બહાર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, અત્રે જણાવી કે, આ સ્કૂલમાં kG થી લઈને 12 કોમર્સ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે.
વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ કરાયો છે. મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો વિરૂધ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે.
મેસર્સ કોટીયા પ્રોજેકટના સંચાલકો
બીનીત કોટીયા
હિતેષ કોટીયા
ગોપાલદાસ શાહ
વત્સલ શાહ
દિપેન શાહ
ધર્મીલ શાહ
રશ્મિકાંત સી. પ્રજાપતિ
જતીનકુમાર હરીલાલ દોશી
નેહા ડી.દોશી
તેજલ આશિષકુમાર દોશી
ભીમસિંગ કુડિયારામ યાદવ
વૈદપ્રકાશ યાદવ
ધર્મીન ભટાણી
નુતનબેન પી.શાહ
વૈશાખીબેન પી.શાહ
શાંતિલાલ સોલંકી, મેનેજર, હરણી લેકઝોન
અંકિત, બોટ ઓપરેટર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ