બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
VTV / death continues in the government hospital of Maharashtra, 31 patients died in 48 hours, 16 were newborns
Megha
Last Updated: 03:45 PM, 3 October 2023
મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 16 બાળકો સહિત 31 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ સરકારી હોસ્પિટલોમાં એક પછી એક લોકોના મોત માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો અને આ મોત પાછળનું કારણ શું છે.
Visuals from state-run Dr Shankarrao Chavan Government Medical College and Hospital in Nanded where 24 patients, including 12 infants, have died in a span of 24 hours. pic.twitter.com/d5S0VbP1Ak
— Press Trust of India (@PTI_News) October 3, 2023
શું છે મામલો અને શું કહેવામાં આવી રહ્યું છે મોતનું કારણ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં બની હતી. અહીં છેલ્લા 2 દિવસમાં 16 બાળકો સહિત 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્ર સરકારે હાફકાઈન ટ્રેનિંગ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું છે, જેના કારણે સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત છે. આ ઉપરાંત મૃતકના પરિજનોએ હોસ્પિટલના તબીબો પર સારવારમાં બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે.
હોસ્પિટલ પ્રશાસને શું કહ્યું?
હોસ્પિટલના અધિક્ષક ડૉ શ્યામરાવ વાકોડેએ તબીબી બેદરકારીના તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દવાઓ કે ડોક્ટરોની કોઈ અછત નથી અને યોગ્ય સારવાર આપવામાં આવતી હોવા છતાં દર્દીઓ પર સારવારની કોઈ અસર થતી નથી. તેમનો દાવો છે કે મૃત્યુ પામેલા મોટાભાગના દર્દીઓને અંતિમ ક્ષણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ દૂરના વિસ્તારોમાંથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.
VIDEO | 24 patients, including 12 infants, died in 24 hours between September 30 and October 1 at the state-run Dr Shankarrao Chavan Government Medical College and Hospital in Nanded city.
— Press Trust of India (@PTI_News) October 3, 2023
"In the last 24 hours - from 12 am of September 30 to 12 am of October 1 - there have been… pic.twitter.com/mRJ8mxPEBn
મૃત્યુ પામેલ મોટાભાગના દર્દીઓ ગંભીર બીમારીથી પીડિત હતા
ડૉ. વાકોડેએ જણાવ્યું હતું કે, "30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબરની વચ્ચે હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા 12 શિશુઓ 1-3 દિવસના હતા અને તેમનું જન્મનું વજન ખૂબ જ ઓછું હતું. બાળરોગ વિભાગમાં 142 દાખલ છે, જેમાંથી 42ની હાલત હજુ પણ ગંભીર છે. "જે 12 પુખ્ત વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો, તેમાં 5 પુરૂષો અને 7 સ્ત્રીઓ હતા. તેમાંથી મોટા ભાગના ગંભીર બીમારીથી પીડાતા હતા, જ્યારે એકને સાપ કરડ્યો હતો અને 3 અકસ્માતના કેસ હતા.
महाराष्ट्र के नांदेड़ में एक सिविल अस्पताल में 12 शिशुओं समेत, 24 मरीज़ों की मृत्यु की खबर बेहद पीड़ादायक, गंभीर व चिंताजनक है।
— Mallikarjun Kharge (@kharge) October 3, 2023
कहा जा रहा है कि इन मरीज़ों ने दवाइयों व इलाज की कमी से दम तोड़ दिया। ऐसी ही घटना अगस्त 2023 में ठाणे के एक सरकारी अस्पताल में हुई जिसमें 18 मरीज़ों…
સરકારે 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરી
મહારાષ્ટ્ર સરકારના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશરિફે કહ્યું કે આ મામલે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી 3 સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જે તપાસ બાદ પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. તેમણે કહ્યું, "અમે આ મામલાની વિગતવાર તપાસ કરીશું અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ જાણ કરવામાં આવી છે. હું ટૂંક સમયમાં જ વ્યક્તિગત રીતે શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઈશ."
नांदेड़, महाराष्ट्र के सरकारी अस्पताल में दवाइयों की कमी से 12 नवजात शिशुओं समेत 24 लोगों की मृत्यु का समाचार अत्यंत दुखद है। सभी शोकाकुल परिवारों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं।
— Rahul Gandhi (@RahulGandhi) October 2, 2023
भाजपा सरकार हज़ारों करोड़ रुपए अपने प्रचार पर खर्च कर देती है, मगर बच्चों की दवाइयों के लिए…
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા
હોસ્પિટલમાં મૃત્યુ બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપ ગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભાજપની નજરમાં ગરીબોના જીવની કોઈ કિંમત નથી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, 'જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.'
नांदेड येथील शासकीय रुग्णालयात २४ तासात १२ नवजात बालकांसह २४ रुग्णांचा मृत्यू होण्याच्या दुर्दैवी घटनेला एक दिवस होत नाही, तितक्यातच औरंगाबाद येथील घाटी रुग्णालयात २ नवजात बालकांसह ८ रुग्णांचा मृत्यू झाल्याची घटना शासकीय आरोग्य व्यवस्थेला काळीमा फासणारी आहे. कालची घटना ताजी…
— Sharad Pawar (@PawarSpeaks) October 3, 2023
NCP ચીફ પવારે કહ્યું- આ સરકારી તંત્રની નિષ્ફળતાનું પરિણામ છે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે સરકારી હોસ્પિટલમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોના મોતને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી અને તેને સરકારની નિષ્ફળતા ગણાવી. તેમણે ટ્વીટર પર લખ્યું, 'માત્ર બે મહિના પહેલા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની કાલવા હોસ્પિટલમાં 18 લોકોના મોતની કમનસીબ ઘટના બની હતી, પરંતુ પછી નાંદેડની સરકારી હોસ્પિટલમાં આવી જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું પુનરાવર્તન થયું છે. આ સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime