બ્રેકિંગ ન્યુઝ
VTV / Dearness Allowance DA hike to 31 Percent effective from 1 July 2021 Finance Ministry
ParthB
Last Updated: 05:21 PM, 26 October 2021
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ, 2021થી 31 ટકા કરાયું
ADVERTISEMENT
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2021 થી મૂળ પગારના 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે 'મૂળભૂત પગાર' નો અર્થ 7મા પગાર પંચ મુજબ મળેલો પગાર છે અને તેમાં કોઈ અન્ય વિશેષ પગાર અથવા ભથ્થાનો સમાવેશ થતો નથી.
આ નિર્ણયથી 47.14 લાખ કર્મીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે
કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત વર્તમાન 28 ટકાથી વધારીને 3 ટકા કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે.આ વર્ષે જુલાઈમાં ડીએનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. હવે ત્રણ ટકાના વધારા સાથે ડીએનો દર 31 ટકા થશે.
મોંઘવારી ભથ્થું કેમ હોય છે?
સરકારી કર્મચારીઓના જીવનધોરણમાં વધુ સુધારો લાવવા માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી વધ્યા પછી પણ કર્મચારીના જીવનધોરણને કોઈપણ રીતે અસર ન થાય તે માટે તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભથ્થું સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરૂ થયું હતું. તે સમયે તેને ડીયરનેસ ફૂડ એલાઉન્સ કહેવામાં આવતું હતું. ભારતમાં મોંઘવારી ભથ્થું સૌપ્રથમ વર્ષ 1972માં મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનું શરૂ કર્યું.
ડીએ કયા આધારે નક્કી કરવામાં આવે છે?
કર્મચારીઓના પગારના આધારે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ છે. મોંઘવારી ભથ્થું મૂળ પગાર પર ગણવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, જે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.