બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6ના મોત, માતાજીના દર્શન કરીને પરત ફરતા પરિવારનો સાપુતારામાં ભયંકર અકસ્માત
Last Updated: 01:04 PM, 9 December 2025
ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આજે સવારે બનેલા દિલદ્રાવક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, સપ્તશૃંગી માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની કાર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ છ લોકોનું ઘટનાસ્થળે જ સ્થળ પર મોત થયું.
ADVERTISEMENT
મૃતક તમામ લોકો કચ્છના પાટીદાર સમાજના હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્ર પોલીસ, સ્થાનિક બચાવ દળ અને મંદિર પ્રશાસન ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. ખીણ ઊંડી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલીઓ આવી હતી, પરંતુ ટીમોએ મૃતદેહોને બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT
મૃતકની યાદી
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને મૃતક પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે.પ્રભુ આત્માઓને શાંતિ આપે.

ADVERTISEMENT
સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે. પોલીસ પ્રાથમિક દૃષ્ટિએ કાર સ્ટેરિંગ પરનો નિયંત્રણ ગુમાવવાનું મુખ્ય કારણ માની રહી છે.
આ પણ વાંચોઃ દ્વારકામાં રખડતા પશુઓનો મામલો પહોંચ્યો હાઇકોર્ટ, ચીફ ઓફિસરે કરવો પડ્યો ખુલાસો
ADVERTISEMENT
સાપુતારા માર્ગ પર ફરી એકવાર બનેલી આ દુર્ઘટનાએ સ્થાનિકો અને યાત્રાળુઓમાં શોક અને ચિંતા ફેલાવી છે. તંત્ર દ્વારા યાત્રાળુઓને પહાડી વિસ્તારોમાં સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.