બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / દિવાળી-બિહાર ચૂંટણીને લઇ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, 20-20 કલાક સુધી લોકો બેસી રહેવા મજબૂર
Last Updated: 02:06 PM, 13 October 2025
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી અને છઠપૂજાને લઈ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિસા તરફ જતા મુસાફરોની સંખ્યામાં જમાવદાર વધારો થયો છે. એટલું જ નહીં, બિહારમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે પણ લોકો વહેલા વતન પહોંચવા ઈચ્છી રહ્યા છે, જેના પરિણામે દર વર્ષે કરતા વધુ ધસારો સર્જાયો છે.
ADVERTISEMENT
મુસાફરો વહેલી સવારથી પ્લેટફોર્મ પર બેસી ગયા
તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે લોકો ગત સાંજે 4 વાગ્યાથી જ પ્લેટફોર્મ પર બેસી ગયા હતા. જ્યારે આ ટ્રેન સવારે 10:20 વાગે ઉધના રેલવે સ્ટેશન પરથી રવાના થવાની હતી. મુસાફરો કહે છે કે તેઓ 12 થી 20 કલાક સુધી પણ ટ્રેનની રાહ જોવાની તૈયારીમાં છે.
ADVERTISEMENT

ટ્રેન પકડવા માટે લાંબી લાઇનો જોવા મળી
ADVERTISEMENT
ઉધના રેલવે સ્ટેશનની બહાર ટ્રેન પકડવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. સવારે શરૂ થયેલી મુસાફરોની ભીડ બપોર સુધીમાં હજારોથી પણ વધારે થઈ ચૂકી છે. આ ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ખાસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ADVERTISEMENT
વધારાની ટ્રેનો પણ દોડાવવાનું શેડ્યુલ જાહેર કર્યું
રેલવે વિભાગે પરપ્રાંતીયોની મુશ્કેલી દૂર કરવા સુરતથી ઉત્તર અને પૂર્વ ભારત તરફ વધારાની ટ્રેનો પણ દોડાવવાનું શેડ્યુલ જાહેર કર્યું છે. શહેરમાં ઉત્તરભારતીયોની મોટી વસાહત હોવાથી દિવાળી અને છઠ પૂજા પહેલાં વતન જવા ઇચ્છુક લોકોનું પ્રમાણ હંમેશાં વધારે રહે છે. પણ ચૂંટણીના પગલે આ વર્ષે આ વખતે લોકો માદરે વતન તરફ દોટ મુકી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO : યુવકને હાઇવે પર સ્ટંટ કરવા ભારે પડ્યા, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
ADVERTISEMENT
રોડ પર બેરીકેટ મારી દેવાતા રોડ નાનો થઈ ગયો છે
સુરત રેલ્વે સ્ટેશનના કામના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. લાલ દરવાજાથી રીંગરોડ સુધી એક કિલોમીટરના ટ્રાફિકજામ સર્જાયો હતો. રેલવે સ્ટેશન રીડ ડેવલપમેન્ટના કામના કારણે ટ્રાફિક સર્જાયો હતો. રોડ પર બેરીકેટ મારી દેવાતા રોડ નાનો થઈ ગયો છે. રોજબરોજ લોકો આ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.