બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Crowd of devotees at Dwarka temple to celebrate Janmashtami 2022
ADVERTISEMENT
સમ્રગ રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે તમામ જગ્યાએ ગાઈડલાઈનના પાલન સાથે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ જન્માષ્ટમીના તહેવારને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે છેલ્લા 35 વર્ષથી યોજાતી રથયાત્રા રાબેતા મુજબ યોજાશે. પરંતુ તેમા કોરોના ગાઈડલાઈનનું ચોક્કસથી પાલન કરવામાં આવશે.આમ સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે રાજકોટવાસીઓ જન્મોત્સવની ઉજવણી કરશે.
ST અને ખાનગી બસમાં મુસાફરોનો ધસારો
ADVERTISEMENT
કોરોના બાદ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારનો માહોલ જામ્યો છે. ST અને ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ કંપનીઓએ પણ વધારાની બસ દોડાવી રહ્યા છે. તો ST નિગમે પણ વધારાની બસ મૂકી છે. સૌરાષ્ટ્ર તરફના જવા માટે 600થી લઈને 1 હજાર રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવી રહ્યું છે. અમદાવાદની ઉજાલા ચોકડી પાસે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. STની સૌરાષ્ટ્ર તરફની તમામ બસ હાઉસફૂલ થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.